Entertainment

63 વર્ષની ઉમરે પણ કુવારા છે મુકેશ ખન્ના ! પોતે જ બતાવ્યું લગ્ન ન કરવાનું કારણ..

આપણા ટેલીવીઝન ની ઘણી એવી સીરીયલો છે કે જે ખુબજ પ્રખ્યાત થઇ ગઈ છે, અને તેના કીરદારો પણ લોકોને ખુબજ ગમ્યા છે, તેમાંય ૯૦ ના દશકા ની વાત કરીએ તો ખુબજ ફેમસ સીરીયલ શક્તિમાન નું નામ તો સાંભળ્યું જ હશે, આ સીરીયલ બાળકો માં ખુબજ પ્રખ્યાત હતી, અને આ સીરીયલ માં શક્તિમાન નું કિરદાર નિભાવનાર મુકેશ ખન્ના ને પણ આપણે સારી રીતે ઓળખીએ છીએ, તેમણે આ કિરદાર ખુબજ સારી રીતે નિભાવ્યું છે, તેના કારણે આ કિરદાર હજુ સુધી લોકોને યાદ છે. અને બાળકો તો હજુ સુધી એ સીરીયલ અને કિરદાર ના દીવાના છે.

આપણે ખાસ વાત કરીએ તો આ સીરીયલ “શક્તિમાન” નું કિરદાર નિભાવનાર અભિનેતા મુકેશ ખન્ના ની તો તેમણે તેના આ કિરદાર અને મહાભારત સીરીયલ માં નિભાવેલ ભીષ્મપિતામહ ના કિરદાર થી તેઓ ખુબજ પ્રખ્યાત થયા હતા, એટલું જ નહિ સીરીયલ માં સારા અભિનય થી તો તેઓ પ્રખ્યાત થયા છે, પરંતુ તેમણે એવી ઘણી સારી ફિલ્મો પણ આપી છે, જેના કારણે તે સફળ કલાકારો માં તેમની ગણતરી થાય છે, અને હજુ સુધી તેની એક્ટિંગ ના લોકો વખાણ કરે છે.

વધુમાં મુકેશ ખન્ના એ ઘણી સારી ફિલ્મોમાં પણ પોતાના સારી કલાકારી બતાવી છે, જેમકે જવાબ, રાઝ, દર્દ, એ દિલ, પુલીસવાલા ગુંડા, અને તેમણે તેમની શક્તિમાન ની સીરીયલ ની જેમ શક્તિમાન ફિલ્મ માં પણ તેમણે સારું કામ કર્યું છે. અને બોલીવુડ ના ઘણા સારા કલાકારો સાથે તેમણે કામ કર્યું છે.

વધુમાં વાત કરીએ તો મુકેશ ખન્ના પોતાની એક્ટિંગ ના કારણે તો લોકોમાં લોકપ્રિય થયા હતા, પરંતુ તે પોતાના સારા એવા વક્તવ્ય ને કારણે પણ ઘણીવાર ચર્ચા માં રહે છે, મુકેશ ખન્ના વર્ષ-૧૯૮૮ થી ૧૯૯૦ સુધી લોકપ્રિય સીરીયલ મહાભારત માં ભીષ્મપિતામહ ના કિરદાર માં પણ ખુબજ પ્રખ્યાત થયા હતા, અને લોકો તેમને ભીષ્મપિતામહ ના નામથી ઓળખવા લાગ્યા હતા. આજ વાત કરીએ તો તેમની ઉંમર ૬૩ વર્ષની છે, અને મહત્વની વાત એ છે કે એમણે હજુ સુધી લગ્ન કર્યા નથી.

૬૩ વર્ષની ઉંમરે હજુ સુધી મુકેશ ખન્નાએ લગ્ન કર્યા નથી, આ બાબતે તેમને ઘણીવાર પૂછવામાં આવ્યું છે, કે તેમણે હજુસુધી કેમ લગ્ન કર્યા નથી તેનું કારણ શું છે? અને ઘણા લોકો એવું સમજે છે કે તેમણે નિભાવેલ ભીષ્મ પિતામહ ના કિરદાર ને તે પોતાના પર્સનલ જીવનમાં ફોલો કરે છે, એટલે તેમણે હજુ સુધી લગ્ન કર્યા નથી. વધુમાં તેમણે એક તેમના ઈન્ટરવ્યું માં જણાવ્યું હતું કે તે લગ્ન ની ખિલાફ નથી. પણ હા મેં જે કિરદાર નિભાવ્યો છે તેને હું ફોલો જરૂર કરું છુ, અને લગ્ન એ નસીબ માં લખ્યા હોઈ તો થાય જ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!