Gujarat

દિકરી નો જન્મ થતા પરીવારે એવી રીતે ઉજવણી કરી કે લોકો ખુબ વખાણી રહ્યા છે..

આપણે સૌ કોઈ જાણીએ છે, આપણે ત્યાં સૌ કોઈ દીકરા જન્મના તો વધામણાં કરે છે, ત્યારે હાલમાં જ દીકરી જન્મના વધામણાં એવી રીતે કરવામાં આવ્યા છે કે, સૌ કોઈ ચોંકી ગયા હતા. ખરેખર આ કોઈ સામન્ય વાત નથી કારણ કે, જે રીતે આ દીકરીનાં વધામણા કરવામાં આવ્યા તે હાલમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ પરિવાર સૌ કોઈ માટે પ્રેરણાદાયી બન્યો ચેમ

હાલમાં જ આ ઘટના ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે..સામાન્ય રીતે પુત્રના જન્મ પર લોકો મીઠાઈનું વિતરણ કરતા હોય છે, ધીમે ધીમે હવે લોકો દીકરીના જન્મની પણ વધામણીરૂપે સગાં-સંબંધીઓના મોં મીઠા કરાવે છે પરંતુ શહેરના પોપટ પરિવારમાં પુત્રીનો જન્મ થતા અનોખી રીતે ઉજવણી કરવાનું નક્કી કર્યું અને પ્રવર્તમાન સ્થિતિમાં દીકરીઓ-મહિલાઓ પર થતા અત્યાચાર, કુદૃષ્ટિ સામે લોકોમાં અને સમાજમાં સદવિચારો પ્રગટે તે માટે મીઠાઈને બદલે રામચરિત માનસ વિતરણ કરવામાં આવ્યું હતું.

આ રામ ચરિત માનસ એટલે વેચવામાં આવી કારણ કે, મીઠાઈ વહેંચવાથી થોડીક ક્ષણો માટે કોઈના મોં મધુર કરી શકાય છે. પરંતુ જો કાયમી માટે કોઈનું જીવન મધુર બનાવવું હોઇ, તેમનો સ્વભાવ તેમના સંબંધોમાં મીઠાશ કાયમી પથરાઈ રહે તે પ્રકારના હેતુ સાથે અમે રામચરિત માનસ વહેંચવાનું નક્કી કર્યું છે. કારણ કે, રામચરિત માનસના વાંચન થકી વ્યક્તિના જીવનમાં આમૂલ પરિવર્તન આવશે. પરિવારે શહેરની શાળા-કોલેજોના પુસ્તકાલય, યુનિવર્સિટી અને શહેરની લાઇબ્રેરી સહિતના સ્થળો તેમજ લોકોને રામચરિત માનસ.

વિતરણ કરી નારી સન્માન, મર્યાદા, વ્યવહાર સહિતની બાબતોમાં સદવિચારો કેળવાય તેવું કાર્ય કર્યું છે.આજે જ્યારે દીકરી પર અત્યાચારો મોટા ભાગે તેના પરિચિત વ્યક્તિ સૌથી વધુ કરતા હોય છે. ત્યારે મર્યાદા સહિતના પાઠ દીકરીના ઘરથી જ શરૂઆત થાય. તેના પરિજનોથી જ શરૂ થાય તે હેતુ સાથે રામચરિત માનસ આપવાનું નક્કી કર્યું હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું અને ખરેખર આ કાર્ય કરવા થી તેમને અનેકગણું પુણ્ય પણ કમાઈ લીધું અને સંદેશ આપ્યો છે જે દરેક માતા પિતાઓ માટે પ્રેરણાદાયી બની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!