ગોવર્ધન ભારતી ઈસુદાન ગઢવીના સમર્થન મા આવ્યા અને વિડીઓ બનાવી કીધું કે…
ગાંધીનગર ખાતે આપના નેતાઓ દ્વારા ભાજપ ના કાર્યાલય કમલમ ખાતે દેખાવો કર્યા હતા અને અને આ દરમ્યાનમા AAP ના કાર્યકર્તા ઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતુ ત્યારે AAP ના નેતાઓ પર શ્રધ્ધા રાજપૂતે છેડતી કર્યાના ગંભીર આક્ષેપો લગાવ્યા હતા અને સાથે જણાવ્યું હતુ કે ઈશુદાન ગઢવી સહીત ના કાર્યકરતાઓ એ નશા ની હાલત મા તેમની છેડતી અને ગેર વર્તન કર્યુ છે.
તેવા આરોપો લાગ્યા હતા.
આ ઘટના બાદ પોલીસે તમામ કર્યકરતાઓ એ કસ્ટડી મા લીધા હતા અને ઈશુદાન ગઢવી પર નશો કર્યા ના આરોપ લાગતા તેનુ ચેકઅપ કરાયું હતુ અને ઈસુદાનના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા. AAP નેતા ઇસુદાન ગઢવીનો પ્રાથમિક રિપોર્ટ નોર્મલ આવ્યો હતો. જોકે FSLમાં મોકલાયેલો બ્લડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઇસુદાન ગઢવીના FSL રિપોર્ટમાં 05થી વધુ આલ્કોહોલનુ પ્રમાણ સામે આવ્યું છે.
ઈશુદાન ગઢવી એ vtv એક ઈન્ટરવ્યુ મા આ બાબત ને બીલકુલ જુઠ્ઠી ગણાવી હતી અને પોતાના ના પર લાગેલા તમામ આરોપો ખોટા છે તેવુ જણાવ્યુ હતુ. અને આ ઉપરાંત સોંગધ ખાઈ ને જણાવ્યું હતુ કે તેવો એ નશો નહોતો કર્યો અને સાથે ચીમકી ઉચ્ચારી હતી કે હુ એ તમામ લોકો ના ખુલ્લા પાડીશ અને કોઈ ને નહી છોડું.
આ બાબત ને લઈ ને ઘણા લોકો ઈશુદાન ગઢવી ના સમર્થનમા આવ્યા હતા અને અને ઘણા સાધુ સંતો પણ સમર્થન મા આવ્યા હતા જેમા હાલનાગા બાવા ગોવર્ધન ભારતી (જુના અખાડા) એ આ વાત ને વખોડી કાઢી અહી અને જણાયુ હતુ કે ઈશદાન ગઢવી મારા શિષ્ય છે અને માતાજી ના ઉપાસક છે એ કયારેય દારુ નુ સેવન કરતા નથી.