Gujarat

વૈષ્ણોદેવી, હરિયાણા તથા બગોદરા-વટામણ હાઈવે પર અકસ્માતની દુર્ઘટનાઓ મૃતકોના પરિવારજનોને મોરારિબાપુની આટલી સહાયની જાહેરાત કરી…

હાલમાં જ વર્ષના શરૂઆતમાં જ જમ્મુ-કાશ્મીરનાં વૈષ્ણોદેવી મંદિરમાં ઘટેલી દુર્ઘટનામાં જેમાં 12 લોકોનાં મોત થયાં હતા અને 20થી વધારે લોકો ઘાયલ થયા હતા. આવી જ રીતે હરિયાણાના ભિવાની જિલ્લામાં ખાણમાં ખોદકામ દરમિયાન થયેલા ભૂસ્ખલનને કારણે ચાર લોકોના મૃત્યુ થયા હતા. તેમજ ગુજરાતમાં પણ આવી જ ઘટના બની જેમાં સ્પર્ધામાં ભાગ લેવા માટે ગયા હતા અને પરત આવતી વખતે તેમના વાહનને તારાપુર ચોકડી નજીક અકસ્માત થયો હતો.

જેમાં પાંચ આશાસ્પદ યુવાન વિદ્યાર્થીઓ પોતાનો જીવ ગુમાવેલ.આ દુઃખ ઘટનામાં અનેક પરિવારજનોએ જીવ ગુમાવ્યા છે, ત્યારે હાલમાં જ મોરારીબાપુ એ તમામ મૃતકો નાં પરિવાર જનોને સહાયની જાહેરાત કરી છે. હનુમાનજીની સાંત્વના રૂપે મોરારિબાપુએ પ્રત્યેકને રૂપિયા 5,000 પ્રમાણે રૂપિયા એક લાખ પાંચ હજારની સહાય મોકલવા જાહેરાત કરી છે. રામકથાના શ્રોતાઓ દ્વારા આ રકમ મૃતકોના પરિવારજનોને પહોંચતી કરવામાં આવશે.

પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી હતી અને તેમના પરિવારજનો પ્રત્યે દિલસોજી વ્યક્ત કરી હતી. પરમ પૂજ્ય મોરારી બાપુએ આ પહેલા પણ અનેક વખત લોકો ની સેવા કાર્ય માટે સદાય આગળ આવ્યા છે.વૈષ્ણોદેવી મંદિરની ઘટના વિશે વાતકરીએ તો જાણવા મળ્યું છે કે, નવા વર્ષની સવારે હજારો લોકો માતાનાં દર્શન માટે પહોંચ્યા હતા, એ સમયે જ આ દુર્ઘટના ઘટી છે. ઘટનામાં ઉચ્ચ સ્તરની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

આ ભાગદોડ કેવી રીતે થઈ એ વિશે પણ ઘણા સવાલ ઊભા થયા છે. આ દુર્ઘટનામાં 12 લોકોનાં મોત થયાં હતા. બગોદરા-વટામણ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પાંચ વિદ્યાર્થીઓના મોત નિપજ્યા હતા. રાજકોટથી વાપી કિકેટ રમવા માટે સ્પર્ધામાં ગયા હતા.મોરારીબાપુ કોરોનાકાળમાં અનેક લોકો ને રોકડ રકમ તેમજ અન્ન દાન કરવામાં આવ્યું હતું અને આ સિવાય જ્યારે વાવાઝોડું આવ્યું ત્યારે પણ સહાય કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!