ની:સ્વાર્થ ભાવે મહિલાએ લોહીની જરુરિયાતમંદ વ્યક્તિઓ માટે એવુ કામ કર્યુ કે જાણી ને સવામ કરશો
રક્ત દાન એ મહાદાન છે. આજે ભાગ્યે જ ઘણા ઓછા લોકો જોવા મળતા હોય છે, જે બીજા કોઈની મદદ કરવા માટે પોતાનું જીવન સમર્પિત કરી દેતા હોય છે.આજે આપણે એક એવી જ મહિલા વિશે વાત કરવાની છે જેઓ અનેક લોકો ને રક્ત દાન કરવા માટે પ્રેરીત કરે છે, તેમજ લોકો માટે રક્ત પૂરું પાડે છે.
આજે આપણે એક એવા મહિલાને વિશે જાણીશું જેઓ અત્યાર સુધીમાં 2000 કરતાં પણ વધારે લોકોને લોહી પૂરું પાડ્યું છે. કોઈને નવું જીવન આપવા માટે કાર્ય કરવું એ ખૂબ જ મોટી વાત છે. આ મહાન વ્યક્તિત્વ એટલે નમ્રતા પટેલ. તેઓ સતત બે વર્ષથી આ માનવતા રૂપી કામ કરી રહ્યાં છે. પરિણિત હોવા છતાં આટલો સમય કાઢીને જનસેવાનું કામ કરવું એ દરેકના હાથની વાત નથી.
તેઓ બે વર્ષથી જે લોકોને લોહીની જરૂર હોય એને મદદ કરી રહ્યા છે. પહેલાં તેણે એક જગ્યાએ લોહી આપ્યું હતું. એક મિત્રનો કોલ આવ્યો અને તેણે કહ્યું કે મારે લોહીની જરૂર છે ત્યારે આ મહિલા લોહી આપવા ગયા અને પછી પોતે એક નવી શરૂઆત કરી અને લોકોને મદદ કરવાનું શરુ કર્યું. કોઈ જરૂરિયાત મંદ લોકોનો એક ફોન આવે કે બેન અહીં લોહીની જરૂર છે તો બેન તરત કામે લાગી જાય અને લોહી પૂરું પાડે.
આજે હોસ્પિટલ તેમજ અલગ અલગ સંસ્થા પાસે નમ્રતા બહેનનો નંબર છે. આખા ગુજરાતમાંથી કોઈ પણને લોહીની જરૂર હોય એટલે ગુજરાતનાં કોઇપણ ખૂણે થી લોહી પોહચાળી દે છે..અમદાવાદમાં રહીને નમ્રતા પટેલએ સોશિયલ મીડિયાનો સારો ઉપયોગ કર્યો છે અને આજે તેઓ પાસે અલગ અલગ ગૃપો છે જેમાં તે એક મેસેજ મુકે કે, આ હોસ્પિટલમાં આ ગૃપના લોહીની જરૂર છે અને નીચે દર્દીનો કોન્ટેક્ટ પણ લખી આપે જેથી કામમાં પણ પારદર્ષિતા રહે.
ખાસ વાત એ કે NGO કે ફાઉન્ડેશન નથી. તેઓ કોઈ પાસેથી એક પણ પૈસા લેતા નથી અને એક પણ પૈસા કોઈને આપતાં પણ નથી. તેમના પતિ પણ તેમને આ કામમાં ટેકો આપે છે અને સાથમાં સાથ પુરાવે છે. આ કામ કરીને નમ્રતા પટેલે એ સાબિત કરી બતાવ્યું કે સોશિયલ મીડિયાનો એક મેસેજ પણ લોકોનું જીવન બની શકે છે.અમદાવાદમાં પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે આખા ગુજરાતમાં અત્યાર સુધીમાં આ બહેને 3000 કરતાં પણ વધારે વિદ્યાર્થી માટે રાઈટર ગોઠવી આપ્યાં છે અને પોતે જાતે પણ 200 જેટલા વિદ્યાર્થીના પેપર લખ્યા છે. આ પ્રેરણાત્મક સ્ટોરી અમને ધ બેટર ઈન્ડીયા દ્વારા પ્રાપ્ત થયેલ છે.
Source : the better india