Gujarat

કોરોનાકાળમાં શું સરકાર શાળા શરૂ કરશે? આવ્યું શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી એ આપ્યુ મહત્વનુ નિવેદન

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા ઘણા સમયથી આખું વિશ્વ અને આપણો દેશ વૈશ્વિક મહામારી સમાન કોરોના સામે લડયા છે. છેલ્લા ઘણા સમયથી કોરોના ના કારણે અનેક લોકોએ પોતાના સ્વજનોને ખોયા છે. મિત્રો આપણો દેશ પણ કોરોનની ઝપેટમાં આવી ગયો છે.જેના કારણે આપણે લોકડાઉનનો પણ સામનો કરવો પડ્યો હતો. જો કે કોરોનાના આ સમયગાળામાં દેશના લોકોએ પોતાના સ્વજનોતો ખોયા સાથો સાથ ઘણું આર્થિક નુકસાન પણ સહન કરવું પડ્યું છે.

જો કે આવી હાલત ફક્ત દેશની જ છે તેવું નથી આખા વિશ્વમાં લોકો આ મહામારી સામે લડી રહ્યા છે. અને વૈસ્વિક સ્તર પર લોકોને જાન માલનું મોટું નુકશાન સહન કરવું પડ્યું છે. આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં એક પછી એક કોરોનના નવા નવા વેરિયંટ નીકળતા રહે છે. જેના કારણે હાલમાં લોકોમાં કોરોનાનો ફેલાવો ફરી ઝડપથી થઇ રહ્યો છે જો કે દેશમાં સરકાર દ્વારા કોરોનાના કેશ ના વધે તે માટે અનેક ઉપાયો હાથ ધરવામાં આવી રહ્યા છે. અને આ બાબત ને ધ્યાનમાં રાખીને અનેક પ્રતિ બંધો પણ લાદવામાં આવી રહ્યા છે.

જો કે હાલમાં કોરોના સામે રક્ષણ આપતી વેક્સીન ની શોધના કારણે લોકોમાં થોડીક રાહત છે. છતાં પણ જણાવી દઈએ કે કોરોના હજુ ગયો નથી. તેના કેસમાં પણ હજુ વધારો નોંધાઈ રહ્યો છે. માટે વેક્સીન લેવી ફરજીયાત છે. તથા માસ્ક પહેરવું પણ જરૂરી છે. ઉપરાંત સરકાર દ્વારા જાહેર કરવામાં આવતી ગાઈડલાઈન નું પાલન થાય તે પણ હિતાવહ છે. હાલમાં કોરોનાના વધતા કેસો વચ્ચે જો કોઈ વસ્તુ સૌથી વધુ પ્રભાવિત થઇ રહી છે તો તે બાળકોનું શિક્ષણ છે.

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં 15 થી 18 વર્ષના બાળકોનું રસીકરણ શરૂ છે. જો કે કોરોનના વધતા કેશને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા પ્રાથમિક અભ્યાસ કરતા બાળકોના ઓફલાઈન વર્ગો ને બંધ કરવામાં આવ્યા હતા જેને હવે ફરી શરૂ કરવા અંગે શાળાના સંચાલકો દ્વારા શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી સમક્ષ અરજી કરવામાં આવી છે. આ બાબત અંગે જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે સરકાર બાળકોના હિતમાં નિર્ણય લેશે. ઉપરાંત તેમણે એ બાબત પણ જણાવી હતી કે વિધાર્થીઓ નો લર્નિગ લોસ ઘણો મોટો છે. હાલમાં કોરોનની સ્થિતિ ઉપર સરકારની નજર છે.

ઉપરાંત સરકાર બાળકોની શાળા ખોલવાના નિર્ણય ને લઈને બાળકોના વાલીઓની જેમ સંવેદનશીલ છે. જણાવી દઈએ કે માર્ચ મહિનામાં પરીક્ષાઓ આવતી હોઈ જેને લઈને શાળા સંચાલકો દ્વારા શિક્ષણ મંત્રી ને ઓફલાઈન શાળા શરૂ કરવા માંગ કરવામાં આવી હતી. જેને અંતર્ગત 1 ફેબ્રુઆરી થી શાળા ધોરણ 6 થી 9 જયારે તે બાદ 15 તારીખથી ધોરણ 1 થી 5 ને ફરી શરૂ કરવા અંગે માંગ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!