દયાબેન સીરીયલ મા પરત ફરવાને લઈ ને સામે આવ્યા મોટા સમાચાર ! દયાબેન ની શરત….
સિરિયલોમાં પાત્ર બદલવાનો ટ્રેન્ડ ખૂબ જ ચાલે છે. આ વાત તો આપણે જાણીએ છે. તારક મહેતા સિરિયલમાં છેલ્લા પાંચ વર્ષ થી મેટરનીટી લિવ પર ગયેલ દિશા વાકાણી આજ સુધી આ શોમાં પાછા નથી આવ્યા, ત્યારે તારક મહેતા સિરિયલનાં ચાહકો માટે ખૂબ જ સારા એવા સમાચાર સામે આવ્યા છે. ત્યારે ચાલો અમે આપને જણાવીએ કે, દયા બેન શોમાં પરત ફરશે એવા એંધાણ સામે આવ્યા છે.
એક વાત તો સો ટકા સાચી છે કે, જ્યારે દયા બહેન શોમાં આવશે ત્યારે એ એપિસોડ પણ ખાસ હશે. ચાલો ત્યારે અમે આપને જણાવીએ કે, દયા બેન એટલે કે દિશા વાકાણી ટીવીના દિશા વાકાણીના પતિ મયુરે પણ એક સત્તાવાર નિવેદન જારી કરીને કહ્યું કે તેની પત્ની શોમાં પાછી નહીં ફરે. પરંતુ હવે એવી શક્યતાઓ છે કે દિશા શોમાં પરત ફરી શકે છે.
Koimoi.com મીડિયા દ્વારા હાલમાં જ જાણવા મળ્યું છે કે, દયા બેનના પતિ એ શરતો રાખી છે કે, દયા બેનની ફી એટલે કે એપિસોડ 1.5 લાખ વધારી દે છે. સૌથી મહત્વની વાતે કે, દિશા દિવસમાં માત્ર 3 કલાક કરશે અનેદિશાના પતિ મયૂર શોના મેકર્સ સાથે વાતચીત કરી રહ્યા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે દિશા અને તેના પતિ ઈચ્છે છે કે, સેટ પર તેમના બાળક માટે પર્સનલ નર્સરી પણ બનાવવામાં આવે. અને એક આયા પણ સોંપવામાં આવે.
આ પહેલા પણ અનેક આવી શરતો મુકવામાં આવી પરંતુ મેકર્સ આ શરતો સ્વીકારી નાં હતી, ત્યારે હાલમાં ફરી એક વખત આવી શરતો મુકવામાં આવી છે, ત્યારે હવે જોવાનું રહ્યું કે, શુ ખરેખર આસિત મોદી આ વાત સ્વીકારી લેશે કે નહીં? જો હા સ્વીકારી લેશે તો ફરી એક વખત દયા બેન આ શોમાં જોવા મળશે. ખરેખર આ સિરિયલમાં દયા બેનની ખામી ખૂબ જ ખામી વર્તાય રહી છે અને દિશા ની કમી કોઈ બીજી અભિનેત્રી પુરી ન કરી શકે તે માટે કોઈ બીજી અભિનેત્રી ને પણ લેવામાં નથી આવી ત્યારે હવે સમય જ બતાવશે કે, દયા બેન આ શોમાં આવશે કે નહીં.