માલધારી યુવાન કિશનની પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળી અંતીમ યાત્રા ! જુવો વિડીઓ
આપણે સૌ કોઈ જાણીએ છે કે, અવારનવાર અનેક હત્યાઓની ઘટના બનતી હોય છે. ત્યારે હાલમાં જ અમદાવાદ જિલ્લાને અડીને આવેલા ધંધૂકા શહેરનાં માલધારી સમાજના યુવકની હત્યા થતા. જ્યારે તેની અંતિમ યાત્રા કાઢવામાં આવી, ત્યારે પોલીસ પણ હાજર રહી હતી.ચાલો ત્યારે અમે આપને આ હત્યાના કેસ વિશે વધુ જણાવીએ કે, ક્યાં કારણોસર આ યુવકની હત્યા કરવામા આવી અને પોલીસ કર્મીઓ એ શા માટે સુરક્ષા માટે હાજર રહ્યા હતા.
વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા ધંધુકા બંધનું એલાન આપવામાં આવ્યું હતું સવારથી જ તમામ વેપારીઓએ દુકાનો બંધ રાખી સજ્જડ બંધ પાડ્યું હતું. આ ઘટનાના પગલે ધંધુકામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સમગ્ર જિલ્લાની SOG, LCB અને સ્થાનિક પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. બીજી તરફ આ ઘટના બાદ ધંધુકાના PI સી.બી.ચૌહાણને હટાવી દેવામાં આવ્યા છે અને તેમના સ્થાને સાણંદના PI આર.જી.ખાંટને ધંધુકામાં મુકવામાં આવ્યા છે.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, કિશન બોડીયા નામના યુવકને બે અજાણ્યાં શખ્સોએ ફાયરિંગ કર્યું હતું. જેમા પ્રથમ ગોળી મિસ ફાયર થઇ હતી અને બીજી ગોળી કિશનને વાગી હતી. આ કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરેલ પરતું તબિબોએ તેને મૃત જાહેર કર્યો હતો. યુવકનું મુત્યુ થતા જ માલધારી સમાજમાં રોષ ફેલાયો હતો. જ્યાં સુધી આરોપી ન પકડાય ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાની માગ કરાઈ હતી. આખરે પોલીસ અને આગેવાનોને સમજાવટ બાદ મૃતદેહ ને સ્વીકારવામાં આવ્યો હતો.
સમાજના આગેવાનો અને પરિવારજનોએ સાથે મીટીંગ કરી હતી.અને ધંધુકામાં એક માર્ગ કિશનના નામે બનાવવામાં આવે તેવી પણ માગ કરી હતી.આ સિવાય હાલમાં પોલીસ દ્વારા આ કેસની તપાસ ચાલુ છે. ખરેખર આ દુઃખદ ઘટના બનવા ને લીધે પરિવાર જનો અને માલધારી સમાજમાં દુઃખદ વાતાવરણ છવાઇ ગયું હતું. પરિવાર જનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેમજ મૃતકની આત્માને શાંતિ આપે એજ ઈશ્વરને પ્રાર્થના.