Gujarat

માલધારી યુવાન ની હત્યા મામલે મોટો ખુલાસો થયો ! આ કારણે હત્યા અને આ લોકો નો હાથ ??

હાલ ધંધુકા મા ભરેલા અગ્નિ જેવી સ્થિતિ છે. અને કોઈ ઈચ્છનીય ઘટના ન બને એ માટે ચારેકોર પોલીસ બંદોબસ્ત ગોઠવાયેલો છે.ગત મંગળવાર ના રોજ કીશન નામ યુવાન તેના જુના ઘર પાસે જતો હતો ત્યારે બે લોકોએ આવીને તેની પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં તે ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યો હતો. આ ઘટના બાદ લોકો મા સતત રોષ જોવા મળી રહ્યો હતો અને ધંધુકા બંધ નુ એલાન પણ આપ્યુ હતુ.

અ ઘટનામા જાણવા મળ્યુ હતુ કે યુવાને સોસિયલ મીડીયા પર એક વિવાદીત પોસ્ટ કરી હતી જયારે બાદ કોઈ એક ધર્મ ના લોકો એ નારાજગી વક્ત કરી હતી અને પીલસે આ બાબતે કાર્યવાહી પણ કરી હતી અને સમાધાન થયા બાદ પણ આ બાબત નો રોષ રાખી ને કીશન નામના યુવાનની હત્યા કરવામા આવી હતી. આ ઘટના બાદ પોલીસ બંદોબસ્ત વચ્ચે યુવાન ની અંતીમ યાત્રા નિકળી હતી.

જ્યારે આ બાબતે પોલીસ ની સતર્કતા ને લીધે બે ઈસમો ને ઝડપી પડાયા છે જ્યાંરે આ કેસ ની તપાસ હાલ SOG ને સોંપવામાં આવી છે. અને કુલ સાત ટીમો કામે લાગી છે. અને ધંધુકા ખાતે મોટો પોલીસ કાફલો બંદોબસ્ત મા જોડાયેલો છે જ્યાંરે આ કેસ મા બે મોલવી ની સંડોવણી પણ સામે આવી છે અને આ દિશા મા વધુ તપાસ પોલીસ દ્વારા કરવામા આવી રહી છે.

આ ઘટના બાદ હર્ષ સંઘવી એ મૃતક ના પરીવાર જનો ને ઝડપી ન્યાય મળશે તેવી ખાતરી આપી હતી અને tweet કરી ને લખ્યુ હતુ કે ” અમદાવાદના ધંધુકા ખાતેના કિશન ભરવાડના કેસ અંતર્ગત બે શંકાસ્પદ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. હું તેમના પરિવારને ખાતરી આપું છું કે, તેમને ઝડપથી ન્યાય મળશે, જેના માટે ગુજરાત પોલીસ સતત કાર્યરત છે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!