Gujarat

કીશન ભરવાડ હત્યા કેસ મા ATS દ્વારા દિલ્હી થી મૌલવીની અટકાયત કરાઈ ! મોટો ખુલાસો…

છેલ્લા કેટલાક દીવસ થી ટોક ઓફ ટાવુન કિશન ભરવાડની હત્યાની તપાસ SOG બાદ ATS ને સોંપવામાં આવી હતી અને છેલ્લા દિવસો મા સતત તપાસ નો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે ATS એ દિલ્હી ના એક મૌલવી ની અટકાયત કરી હતી. દિલ્લીના મૌલાના કમરગની ઉસ્માનીની ગુજરાત એટીએસની ટીમે દિલ્લીથી અટકાયત કરી છે. કટ્ટરવાદી વિચારધારા ધરાવતાં મૌલાના કમરગની ઉશ્કેરણીજનક ભાષણો આપે છે

આ ઘટના મા જિલ્લા પોલીસે જમાલપુર વિસ્તારમાં રહેતા આરોપી મૌલવી ઐયુબ જાવરવાલાની ધરપકડ કરી હતી. બાદમા આરોપી મહંમદ ઐયુબ યુસુબભાઈ જાવરાવાલાને ગઈ કાલે કોર્ટ મા રજુ કરી ને 14 દિવસ ની રીમાન્ડ ની માંગણી કરવામા આવી જયારે કોર્ટે 8 દિવસના રીમાન્ડ મંજૂર કર્યા હતા. હત્યા ની ઘટના મા ધરપકડ કરાયેલા શબ્બીર અને ઈમ્તિયાઝને સાથે રાખી પોલીસે અલગ અલગ જગ્યા એ તપાસ હાથ ધરી હતી અને ઘટના ને અંજામ આપ્યા બાદ
પિસ્તોલ અને બાઇક મૂક્યું એ મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યા હતા.

કિશન ભરવાડની હત્યા થયા બાદ વિવિધ હિંન્દુ સંગઠન નો રોષ ફાટી નીકળ્યો હતો અને કડક સજા ની માંગ કરવામા આવી હતી ત્યારે ગૃહમંત્રીના આદેશ બાદ હવે સંપૂર્ણ તપાસ ATSને સોંપવામાં આવી છે. હવે ATS દ્વારા વિવિધ એન્ગલ થી તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને આરોપીઓ સોસિયલ મીડીયા પર કોની સાથે સંપર્ક મા હતા તેની તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે

આ અંગે ATSના DySP બી.એચ ચાવડાએ જણાવ્યું હતું કે, આરોપીઓના રિમાન્ડના આધારે પાકિસ્તાન કનેક્શન છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે. ઉપરાંત સોશિયલ મીડિયા, મોબાઈલ ડેટા સહિતની પણ તપાસ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!