કિશન ભરવાડ ની હત્યા મામલે કંગના રાણાવતે કીધું કે “કિશન શહીદથી સહેજ પણ..
હાલ કીશન ભરવાડ ની હત્યા ને લઈ ને ATS તપાસ નો ધમધમાવટ ચાલી રહ્યો છે તો બીજી બાજુ લોકો નો રોષ પણ જોવા મળી રહ્યો છે અને અનકે સેલીબ્રીટી પણ આ બાબતે નિવેદનો આપ્યા છે ત્યારે સૌ પ્રથમ બોલીવુડ એકટ્રેસ રંગના રાણાવતે કીશન ભરવાડ ની હત્યા ને લઈ ને એક નિવેદન આપ્યુ હતુ જે હાલ ઘણું ચર્ચા મા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત મંગળવાર ના રોજ કીશન ભરવાડ નામ ના યુવક ની સરાજાહેર બે વિધર્મી યુવકો દ્વારા હત્યા કરી દેવામાં આવી હતી અ ઘટના અમદાવાદ મા ધંધુકા મા બની હતી. ત્યારે લોકો મા રોષ જોવા મળ્યો હતો ત્યારે હવે રાજકારણ ગરમાયુ છે અને બોલિવુડ એકટ્રેસ રંગના રાણાવતે કિશન ભરવાડ અંગે સોસીયલ મીડીયા પર એક પોસ્ટ કરી હતી.
કંગના રાણાવતે ફેસબુક પોસ્ટ પર કિશન ભરવાડ ના ફોટા સાથે લખ્યુ હતુ કે “ફેસબુક પોસ્ટને કારણે કિશન ભરવાડની હત્યા મસ્જિદ તથા મૌલવીએ આયોજનબદ્ધ રીતે કરી છે, કારણ કે તેઓ વિચારતા હતા કે ભગવાનને આ પોસ્ટ નહીં ગમે અને તેમણે ભગવાનના નામે તેને મારી નાખ્યો. આપણે કોઈ મધ્ય યુગમાં જીવતા નથી અને સરકારે આવી હત્યાઓ સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ. કિશન માંડ 27 વર્ષનો હતો અને તેને બે મહિનાની દીકરી છે. તેને પોસ્ટ ડિલિટ કરવાનું તથા માફી માગવાનું કહેવામાં આવ્યું હતું અને તેણે તેમ કર્યું હોવા છતાંય ચાર માણસોએ તેની ઘાતકી હત્યા કરી નાખી. તે શહીદથી સહેજ પણ ઓછો નથી. તે દરેકની સ્વતંત્રતા માટે મૃત્યુ પામ્યો છે, આવા જ લોકો દેશને અફઘાનિસ્તાન બનતા અટકાવી રહ્યા છે. તેની વિધવાને પેન્શન મળવું જ જોઈએ. ઓમ શાંતિ.”
આ ઘટના બાદ હાલ ATS ની તપાસ ચાલુ છે અને અત્યાર સુધી મા કુલ 6 આરોપી પોલીસ ધરપકડ કરી ચુકી છે. આ ઘટના બાદ ગુજરાત ના તમામ જીલ્લા મા ઘેરા પડઘા પડ્યા છે અને ખાસ કરીને હિંન્દુ સંગઠનો મા રોષ જોવા મળી રહ્યો છે.