Gujarat

કીશન ભરવાડ હત્યાના મામલે દેવાયત ખવડે કહ્યુ કે જરુર પડે તો શાસ્ત્ર અને જરૂર પડે તો….

કિશન ભરવાડ હત્યા કેસમા એક પછી એક અનેક ખુલાસાઓ થયા જેમા અત્યાર સુધી મા પાંચ લોકો ની અટકાયત પણ કરવામા આવી છે ત્યારે આ મુદ્દે રાજકારણ પણ સતત ગરમાયું છે અને બોલીવુડ એકટરસ કંગના રાણાવત એ પણ એવુ નીવેદન આપ્યુ હતુ કે કિશન ભરવાડ શહિદ થી ઓછો નથી અને તેમના વિધવા પત્ની ને પેન્શન મળવુ જોઈએ…

આ નિવેદન બાદ ગુજરાત ના પણ ઘણા કલાકારો કીશન ભરવાડના સમર્થન મા આવ્યા હતા અને ઝડપી ન્યાય ની માગણી કરી હતી જેમા રાજભા ગઢવી એ વિડીઓ લાઈવ કરી ન્યાય માટે ની માંગણી કરી હતી ત્યાર બાદ આજે લોક ગાયક દેવાયત ખવડ નો એક વિડીઓ વાયરલ થયો હતો અને કિશન ભરવાડની હત્યા ના મુદ્દે એક નિવેદન આપ્યુ હતુ.

લોકગીતકાર દેવાયત ખવડે સોશ્યિલ મિડીયા પર વિડીયો શેર કરીને જણાવ્યું હતુ કે સરકાર આ બાબતે સારુ કામ કરી રહી છે પરંતુ કિશનના પરિવારને સરકાર જલ્દી ન્યાય આપે તેવી વિનંતી કરુ છુ વધુમાં કહ્યુ આ જ્ઞાતિ, પેલી જ્ઞાતિ ક્યાં સુધી કરીશું,આ બધી જ જ્ઞાતિનાં કોમવાદને ભુલીને હિન્દુસ્તાનની છીએ, જો હિન્દુસ્તાનની લાગણી મારાને તમારામાં નહીં જાગે તો આજે કિશનની હત્યા થઇ કાલે મારી અને પછી તમારી હત્યા થશે. માટે એનામાં એકતા છે તો મારાને તમારામાં શા માટે એકતા નથી. હવે એક થવાનો સમય આવી ગયો છે મોડુ કરતાં નહીં. જરૂર પડે તો શાસ્ત્ર અને જરૂર પડે તો શસ્ત્ર લેવાની પણ તૈયારી છે.

જયારે આ ઘટના ને લઈ ને રાજકોટ મા આજે માલધારી સમાજ ના અને હિંદુ ધર્મ ના સંગઠનો રાજકોટ મા જીલ્લા કલેકટર ના માધ્યમ થી ગૃહમંત્રીને રજૂઆત કરી હત્યારા ને ફાંસી આપવા ની માંગ કરી હતી અને રજુવાત બાદ ટોળુ ઉગ્ર બનતાં પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!