જયોતેન્દ્રસિંહજી નું થયું દુઃખ નિધન!અંતિમવિધિ પૂર્વે તિલકવિધિ કરાઈ જાણો કોણ ગોંડલની ગાદી….
ગોંડલ શહેર એટલે સૌરાષ્ટ્રનું ઉત્તમ રજવાડું! હાલના સમયમાં પણ રાજવી વિરાસત અને રિયાસતની અનુભૂતિ થાય છે. તેમજ રાજવી પરિવાર પણ ગોંડલ શહેરમાં વસે છે, ત્યારે હાલમાં જ ગોંડલ સ્વપ્ન દ્રષ્ટા મહારાજા સરભગવતસિંહજીના પ્રપૌત્ર નેકનામદાર મહારાજા જ્યોતિન્દ્રસિંહજી સાહેબ ઓફ ગોંડલની સોમવાર ના સવારે 9 કલાકે હજુર પેલેસ ખાતે તબિયત નાદુરસ્ત થવા પામી હતી.
આ દરમ્યાન જ તેઓને હૃદય નો તીવ્ર હુમલો આવતા 84 વર્ષની વયે તેમનું નિધન થયું.આ દુઃખદ ઘટના બનવા ને કારણે મહારાણી સાહેબ કુમુદકુમારીજી તેમજ યુવરાજ સાહેબ હિમાંશુસિંહજી પણ હાજર હતા મહારાજ સાહેબ ના નિધન થી રાજવી પરિવાર શોકની લાગણી છવાઈ ગઈ હતી. મહારાજા સાહેબના નિધન ને લઈ નગરપાલિકા કચેરી , કોલેજ સહિત ની સંસ્થાઓ માં રજા જાહેર કરી દેવામાં આવી હતી.
દરબાર ગઢ મોટી બજાર ખાતે સાંજે 4 થી 5 દરમ્યાન અંતિમ દર્શન રાખવામાં આવ્યા હતા અને ત્યારે બાદ ત્યાંથી સ્મશાન યાત્રા નીકળશે તે પહેલા રાજવીકુળ ની પરંપરા મુજબ યુવરાજ હિમાંશુસિંહજીની તિલક વિધિ કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું. મહારાજા સર ભગવતસિંહજી ની ત્રીજી પેઢી એ જ્યોતીન્દ્રસિંહજી પ્રપૌત્ર હતા, ભગવતસિંહજી ના પુત્ર ભોજરાજસિંહજી તેમના પુત્ર વિક્રમસિંહજી અને તેમના પુત્ર જ્યોતેન્દ્રસિંહજી હતા.
અંતિમયાત્રા પૂર્વે હિમાંશુસિંહજીની તિલકવિધિ કરવામાં આવેલ હતી.સાંજે મહારાજાની જયોતિન્દ્રસિંહ બાપુની નશ્ર્વરદેહના ગોંડલ મુકિતધામ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવેલ હતાં.તેમનું નિધન થતા રાજવી પરિવારમાં ખૂબ જ મોટી ખોટ વર્તાય છે, તેમજ તેમને સમાજમાં અનેક સેવાના કાર્યો કર્યા છે અને પોતાનું જનસેવામાં જ વિતાવ્યું છે, ત્યારે ખરેખર આ એક ખૂબ જ સરહાનીય વાત છે, પરતું સાહેબજીના નિધન થી પ્રજાજનો દુઃખી થઈ ગયેલા