અલ્પેશ ઠાકોરે કીશન ભરવાડને શ્રધાંજલી આપી અને કિશન ની દિકરી ના હાથ મા એક લાખ……
કિશનને ન્યાય અપાવવા માટે હવે એકપછી એક અનેક કલાકારો બાદ હવે રાજકીયક્ષેત્ર સાથેના મહાનુભાવો કિશનને ન્યાય અપાવવા માટે આગળ આવી રહ્યા છે. એક પછી એક અનેક લોકો કિશનને ન્યાય આપવાની અપીલ કરી ચુક્યા છે, ત્યારે હાલમાં જ અલ્પેશ ઠાકોર પણ કિશન ભરવાડને ન્યાય મળે અને તેમના પરિવારજનોના આ દુઃખમાં સહભાગી થવા બદલ તેમના નિવાસ સ્થાનની રૂબરૂ મુલાકાત લીઘી છે. ત્યારે આ દરમિયાન શું અલ્પેશ ઠાકોર કહ્યું તેના વિષે અમે આપણે સંપૂર્ણ માહિતગાર કરીએ.અલ્પેશ ઠાકોર એટલે એક સર્વશ્રેષ્ઠ રાજનેતા અને જનસેવક છે અને સમાજના દરેક લોકોની પડખે તેઓ સદાય રહે છે. ભરવાડ સમાજમાં જ્યારે આવી ઘટના બની છે, ત્યારે અલ્પેશ ઠાકોર પરિવારજનોને સાત્વના પાઠવવા માટે કિશનના નિવાસ સ્થાને રૂબરૂ મુલાકાત કરીને કિશન ભરવાડને અનોખી રીતે શ્ર્દ્ધાજંલી અર્પણ કરી છે.
અત્યાર સુધીમાં અનેક લોકો કિશનને શ્ર્દ્ધાજંલી અર્પણ કરવા તેમના નિવાસ સ્થાન પહોંચ્યા છે.તેમના પરિવારને સાંત્વના પાઠવી છે, અને પરિવારજનો સમક્ષ દુઃખ વ્યક્ત કરીને આરોપીઓને સજા અપાવવા માટે અપીલ કરી છે. ત્યારે અલ્પેશ ઠાકોર પણ ભરવાડ સમાજના દીકરાને ન્યાય અપાવવા શ્રદ્ધાજંલી અર્પણ કરી અને માત્ર દુઃખ વ્યક્ત કરીને ચાલ્યા ન ગયા પરંતુ ખરા અર્થે પરિવાર જનોના દુઃખમાં ભાગીદાર થયા અને કિશનની 20 દિવસની દીકરીના હાથમાં એક લાખ રૂપિયાનું કવર આપ્યું હતું. આ પરિવારને કોઈ આર્થિક સહાય નહિ પરંતુ આ નાની દીકરીના ઉજ્જવળ ભવિષ્ય માટેનું યોગદાન અપાયું હતું.
શ્ર્દ્ધાજંલી અપર્ણ કર્યા અલ્પેશ ઠાકરે કહ્યુ કે, હત્યાની ઘટનામાં માત્ર રાજનીતિ નહીં પરંતુ નક્કર કાર્યવાહી થવી જોઈએ. અલ્પેશ ઠાકોરે કહ્યુ કે, આ ગુજરાતની શાંતિ તોડવાનો પ્રયાસ થયો છે. આવા તત્વોનો બજારમાં કોયડડો કરી દેવો જોઈએ. તેમણે કહ્યું કે સોશિયલ મીડિયામાં પોસ્ટ પર કોઈની હત્યા કરવી વખોડવા લાયક છે.સૌથી મહત્વની વાત એ છે કે, અલ્પેશ ઠાકોરની વાત સો ટકા સાચી છે, તેમના કહ્યા મુજબ રાજ્યમાં આવા બીજા કોઈ યુવાન ન ગુમાવવા પડે તે માયે આયોજન થવું જોઈએ. મૌલવીઓ વિષે કહ્યું છે કે, નફરત ફેલાવનાર મૌલવીઓને ધર્મના ઠેકેદાર બનવાની જરૂર નથી
ગુજરાતમાં કટ્ટરવાદીઓનું કોઈ કામ નથી. જે લોકો ભાઈચારો તોડવાનો પ્રયાસ કરશે તેને જડબાતોડ જવાબ મળશે. અલ્પેશ ઠાકોરે લોકોને સોશિયલ મીડિયા પર સંયમ જાળવવાની અપીલ કરી છે. કિશનની હત્યામાં સસ્તી રાજનીતિ થઈ રહી હોવાની વાત પણ અલ્પેશે કરી છે. તેણે કહ્યુ કે, મારાથી નમાલી રાજનીતિ થતી નથી. તેમણે ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવવાની માંગ કરી હતી. અલ્પેશ ઠાકોરે કહ્યુ કે, ગુજરાતના યુવાનો, દીકરીઓ અને મહિલાઓ માટે હું તલવાર ઉઠાવવા પણ તૈયાર છું.