સુરતમા જાહેર મા યુવતીના હત્યા મામલે રાજભા ગઢવી ગુસ્સે ભરાયા ! કહી આ વાત જુવો વિડીઓ
સુરત મા એક ચકચારી મચાવતી ઘટના બની હતી જેમા પાસોદરામાં એકતરફી પ્રેમમાં યુવકે પરીવાર ની નજર ની સામે જ યુવતી ને ચપ્પુ ના ઘા ઝીકી હત્યા કરી હતી આ ઘટના મા પાસોદરા પાટીયા પાસે આવેલ લક્ષ્મીધામ સોસાયટીમાં રેહતી હતી અને તેનુ નામ ગ્રીષ્મા નંદલાલ વૈકરિયા નામની યુવતી ની હત્યા ફેનીલ પંકજભાઈ ગોયાણી નામના યુવકે કરી હતી. યુવતી ની હત્યા કરવાનુ કારણ એટલું માત્ર હતુ કે યુવક એક તફરી પ્રેમ મા હતો
આ ઘટના અંગાવ યુવતી ના મોટાબાપુ દ્વારા યુવક ને દિકરીને હેરાન ના કરે એ માટે ઠપકો આપવામા આવ્યો હતો પરંતું યુવક લાજવાને બદલે ગાજયો હતો અને યુવતીના ઘર પાસે જ યુવતી ની હત્યા કરી હતી જ્યારે આ ઘટના ને લીધે રાજ્ય મા ઘેરા પડઘા પડ્યા હતા અને લોકો મા ખુબ રોષ જોવા મળ્યો હતો અને સોસિયલ મિડીઆ પર દિકરી ને ન્યાય મળે તે માટે માંગ ઉઠી હતી ત્યારે અનેક નામચીન લોકો એ પોતાનો રોષ ઠાલવ્યો હતો જેમા રાજભા ગઢવી એ એક વિડીઓ ફેસબુક પર પોસ્ટ કર્યો હતો.
રાજભા ગઢવી એ વિડીઓ ફેસબુક પર પોસ્ટ કરી અનેક સવાલો ઉઠાવ્યા હતા અને પોતાના બાળકો ને કેવી રીતે સાચવવા અને દિકરીઓ ને પોતાની સ્વ રક્ષા કેમ કરવી અને ઈતિહાસ મા કેવી રીતે દીકરીઓ ની રક્ષા કરવામા આવતી તેના પણ ઉદાહરણો આપ્યા હતા. આ ઉપરાંત રાજભા ગઢવી આ ઘટના દરમ્યાન નજરે જોનાર પરંતુ દિકરી ને મદદ ન કરનાર લોકો પર રોષ ઠાલવ્યો હતો. આ ઉપરાંત પશ્રીમી સંસ્કૃતિ પર પ્રહારો કર્યા હતા.
આપને જણાવી દઈએ કે જયારે ઘટના બની ત્યારે ઘણા લોકો ત્યા હાજર હતા અને યુવકે પોતાના પાસે ચપ્પુ રાખી યુવતીને બાન મા લીધી હતી જેના કારણે લોકો તેને બચાવવા માટે ડરી રહ્યા હતા અને જોત જોતા મા યુવકે યુવતી ની હત્યા કરી નાખી હતી આ પુરી ઘટના એક વિડીઓ મા કેદ થહી હતી.