દેવાયત ખવડે ચાલુ ડાયરા મા કીધુ ” પુષ્પા નામ સુન કે ફ્લાવર સમજે કયાં ” ? અને પુષ્પા ફિલ્મ વિષે કીધુ કે
હાલમાં જ્યાં જુઓ ત્યાં માત્રને માત્ર પુષ્પ ફિલ્મની ચર્ચાઓ થઇ રહી છે, ત્યારે દરેક કલાકારો અને સામાન્ય વ્યક્તિઓ એ પણ પુષ્પાની કોપી કરીને અનેક રીલ્સ બનાવી છે. 2021નું આ સૌથી યાદગાર ફિલ્મ છે. ખરેખર પુષ્પાનો રંગ એવો લાગ્યો કે, સરકારને પણ પુષ્પાનો સહારો લઈને જનતાનેજાગૃત કરી રહી છે. કહેવાય છે ને કે, જીવનમાં ક્યારે શું બની જાય કોઈ કહી નથી શકતું. પુષ્પા ફિલ્મ અચનાક સિનેમા ઘરોમાં આવી અને એવી આવી કે, પડદા પર થી ઉતરી ગઈ પણ લોકોના દિલો દિમાગમાં હજુ પણ અંકબંધ છે.
પુષ્પા અંગે ગુજરાતના લોકસાહિત્યકાર અને ગાયક કલાકરો બોલ્યા છે, ત્યારે તેમાં સૌથી ઉમદા અને એક સમજદારીની વાત દેવાયત ખાવડ કરી છે. તેમના જાહેર પ્રોગામ દરમિયાન તેમને પુષ્પાના ઝુકેગા ડાયલોગ સાથે એક ખુબ જ ઉમદા અને ખરી વાત કરી છે, આ વાત તદ્દન સો ટકા સાચી છે. આમ પણ કહેવાય છે ને કે,નવું નવું નવ દિવસ! દેવાયત કહ્યું કે, દરેક લોકો પુષ્પા પાછળ ઘેલા થયા છે. ઝુકેગા નહીં એવું જે બોલે છે, એવું તો વરસો પહેલા આપણા મહાન યોદ્ધાઓ બોલી ચુક્યા છે અને એ પણ પરમાર્થના કાર્ય માટે.
જ્યારે માણસ મરતા હતા ત્યારે મહમદ બેગડાને એક વિહળ ચારણએ દાઢી હાથ ફેરવતા અને મૂંછોને તાવ દેતા કહ્યું હતું કે, આ શીશ ક્યારેય નમશે નહીં, યુદ્ધ કરવા તૈયાર છીએ પણ શીશ ભલે કપાય જાય પણ અમે ન નમીએ. આજના સમયમાં પુષ્પા માત્ર ઝુકેગા અહીં બોલ્યા રાખે છે, એ મહત્વનું નથી. આમ પણ આ બધો ભાગ્યનો ખેલ છે. અત્યાર સુધી અનેક ફિલ્મો આવી અને અનેક લોકો ડાન્સ કર્યો હશે પણ આ પુષ્પા માત્ર એક બે વાર ચમ્પલ કાઢીને ચાર પાંચ ડગલાં શું ભરી લીધા.
આ જે થયું, તે માત્ર ભાર્ગ્યની વાત છે, ભાગ સાથે હોય તો કંઈ પણ થઇ શકે, દેવાયત ભાઈ તો તેના શબ્દોમાં ખુબ જ સારી રીતે આ ઘટનાનું વર્ણન કર્યું છે. અમારા શબ્દોમાં કદાચ ભાવપૂર્ણ રીતે વર્ણન ન થયું હોય તો એકવાર આ વિડીયો અચૂકપણે જોઈ લેજો. ખરેખર પુષ્પાની સાથે ઝુકેગા અહીં વાત ને એવી રીતે રજૂ કરી છે કેમ પ્રોગ્રામમાં બેથેલ દરેક વ્યક્ત્તિઓ વાહ વાહ કરતા રહી ગયા હતા. આ પ્રાણ પ્રતિષ્ઠા મોહત્સવ અંતગર્ત દેવ ભૂમિ દ્વારકામાં યોજાયેલ હતો.