આ કરોડપતિ ગુજરાતી બીઝનેસમેન પોતાનો જીવની પરવા કર્યા વગર યુક્રેનની બોર્ડર પર ભારતીયોની મદદ કરવા પહોંચી ગયા.
જયા જયા વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત” દેશ અને દુનિયા ગમે ત્યા મુશ્કેલીનો સમય હોય ગુજરાતીઓ એ હંમેશા માનવતા મહેકાવી છે અને લોકોની નાત જાત કે રંગભેદ જોયા વગર માનવ સેવા કરી હોય તેવા અનેક દાખલા છે ત્યારે હાલ યુક્રેન રશિયા વચ્ચે ચાલી રહેલા યુધ્ધ મા અનેક લોકો પોતાનાનો જીવ બચાવવા અને વિવિધ પ્રકારની મદદ માંગી રહ્યા છે ત્યારે મુળ વડોદરાના વિદેશમા વસતા એક બીઝનેસમેન મદદ માટે આગળ આવ્યા છે.
નેધરલેન્ડના એમ્સ્ટર્ડમ મા રહેતા બિઝનેસમેન કે જેનુ નામ અનોશ ઠક્કર છે તે અનેક લોકો માટે દેવદૂત સાબીત થયા છે. માત્ર ભારતના લોકો જ નહી યુક્રેનના લોકો ને પણ મદદ કરી રહ્યા છે. યુક્રેન મા જેવુ યુધ્ધ ફાટી નીકળ્યું કે લોકો યુક્રેન માથી નીકળવાનો પ્રયાસ કરવા લાગ્યા ફ્લાઈટ બંધ હોવાથી લોકો પોલેન્ડની બોર્ડર પર પહોંચવા વાગ્યા. ત્યારે પોલેન્ડની બોર્ડર પર કડકડતી ઠંડી અને ખાવા પાવાની અછત સર્જાઈ હતી ત્યારે આવી સ્થિતીમા ઘણા લોકો એ માનવતા જીવંત રાખી છે અને મદદ કરી રહ્યા છે.
જેમા ના એક અનોશ ઠક્કર પણ છે જે એક ગુજરાતી બીઝનેસમેન છે અને નેધરલેન્ડ મા રહે છે. અનોશ ઠક્કર ધારેત તો ચેરીટી ફંડ આપી ને પોતાના આલીશાન બંગલા મા આરામ કરેત પરંતુ આ ગુજરતી યુવાને કાંઈક અલગ વિચાર્યું હતુ. હજારો કીલોમીટર ની સફર ખેડીને પોતાના સાથીઓ સાથે પોલેન્ડની બોર્ડર પહોચી ગયા હતા લોકો ને જમવા રહેવા ઉપરાંત ભારત મા આવવા માટા ટ્રાવેલીંગ ની પણ વ્યવસ્થા અનોશ ઠક્કરે કરી આપી.
અનોશ ઠક્કર છેલ્લા ચાર દિવસ થી આ કામ કરી રહ્યા છે અનોશ ઠક્કર નુ કહેવુ છે કે “શરૂઆતમાં મેં અમારી ફર્મની યુક્રેન સ્થિત બ્રાંચના કર્મચારીઓને બચાવ્યા હતા. યુક્રેનમાં મારો બિઝનેસ હોવાથી ત્યાં સિનિયર સરકારી અધિકારીઓ ઉપરાંત ઘણી ઓળખાણ છે. એટલે જ મેં નક્કી કર્યું કે ત્યાં ફસાયેલા ભારતીયો અને યુક્રેનવાસીઓની મદદ કરીશ”,
અનોશ ઠક્કરે આગળ કહ્યું, “મને જાણવા મળ્યું કે, તાજેતરમાં કીવ છોડનારા ભારતીય વિદ્યાર્થીઓ સાથે સારો વ્યવહાર નથી થઈ રહ્યો. જેથી મેં અને મારા પાર્ટનર પેટ્રિક હાર્ટ (Patrick Hart)એ યુક્રેનના અમારા સંપર્કો વાપર્યા અને તેઓ સુરક્ષિત રીતે ત્યાંથી નીકળીને પોલેન્ડ સુધી પહોંચી જાય કારણકે લોકોને લઈને જતી ઘણી બસો પર ગોળીબારી થઈ રહી છે. પોલેન્ડ સુધી પહોંચવા માટેના સાધનોની વ્યવસ્થા કરવા ઉપરાંત અમે જરૂરી દવાઓ અને ખોરાક રસ્તામાં મળી રહે તેવી વ્યવસ્થા પણ કરી છે.”
અનોશ ઠક્કરે જણાવ્યું, “એકવાર આ લોકો પોલેન્ડ પહોંચી જાય પછી અમે તેમની રહેવાની વ્યવસ્થા કરીએ છીએ, બ્લેન્કેટ આપીએ છીએ અને જો તેઓ ભારત કે યુરોપના કોઈ અન્ય દેશમાં જવા માગતા હોય તો ટ્રાન્સપોર્ટની પણ વ્યવસ્થા કરીએ છીએ.”
અનોશ ઠક્કર અત્યાર સુધીમા હજારો લોકોની મદદ કરી છે. કીવ (Kyiv)ની સ્કૂલમાં ફસાયેલા 70 બાળકોનું રેસ્ક્યૂ કરીને તેમના રહેવા માટે સુરક્ષિત સ્થળની વ્યવસ્થા કરી હતી ઉપરાંત અનેક લોકો ને ફુડ પેકેટ અને બ્લેન્કેટ ની વ્યવસ્થા અનોશ ઠક્કરે કરી આપી. અનોશ ઠક્કર ની વાત કરવામા આવે તો અનોશે વડોદરાની જીવન સાધના સ્કૂલમાંથી HSC પાસ કર્યં હતું. અને વધુ અભ્યાસ માટે યુ.એસ પહોંચી ગયા હતા.15 વર્ષ પહેલા તેઓ નેધરલેન્ડ શિફ્ટ થયા અને ત્યાં સાયબર સિક્યુરિટી ફર્મ શરૂ કરી છે.
અનોશ ઠક્કર આ કામ માટે લોકોની મદદ માટે ક્રાઉડ ફંડિગ કર્યું છે અને તદુપરાંત તેઓ પોતાના ખિસ્સામાંથી પણ ખાસ્સો ખર્ચો કરી રહ્યા છે.