Gujarat

અનેક નિસંતાન દંપતિ નો ખોળો ભરનાર રાંદલ માતાજીનુ આ ખાસ મંદિર ગુજરાત મા આ જગ્યા પર આવેલું છે જયા….

સૌરાષ્ટ્રની ધરા અતિ પાવનકારી છે, અહીંયા અનેક દેવી દેવતાઓનો વાસ છે, ત્યારે આજે આપણે વાત કરીશું માં રાંદલનાં ચમત્કારી મંદિર વિશે. કહેવાય છે ને કે, માં રાંદલ તો ખોળો ભરનારી દેવી છે. સંતાનપ્રાપ્તિ માટે માં રાંદલની અવશ્ય પૂજા અર્ચના કરવામાં આવે છે. આજે આપણે દળવા મંદિર સાથે જોડાયેલ પૌરાણિક કથા વિશે જાણીશું. કેહવાય છે કે, આ મંદિર આવનાર કોઈપણ દંપતી નિઃસંતાન નહિ રહેતું.

વાત જાણે એમ છે કે,અમરેલી જીલ્લાના દળવા ગામે  સાક્ષાત રવિરાંદલ માતા બિરાજમાન છે. દળવા રાંદલ માતાજીનું મુળ સ્થાનક છે. રાંદલ માતા વિશ્વકર્માના પુત્રી છે. વિશ્વકર્માએ પોતાની પુત્રી રાંદલના લગ્ન સૂર્ય દેવ સાથે કર્યા હતા. તેમને બે પુત્રો યમ અને યમુના થયા. સૂર્ય દેવે રાંદલ માતાને મૃત્યુ લોકમાં અધર્મના રસ્તે જતાં રહેલા લોકોને ધર્મના માર્ગે પરત લાવવાનું કામ આપ્યું હતું.

વાત જાણે એમ છે કે, જ્યારે ગુજરાતમાં ભયંકર દૂકાળ પડ્યો હતો. એવામાં સૂર્યદેવની આજ્ઞાથી માતા રાંદલ દળવામાં આવ્યા હતા એ પણ બાળકી સ્વરૂપે. કેટલાક માલધારીઓ પાણીની શોધમાં અહીં આવ્યા. તેઓએ આ વેરાન જગ્યાએ બાળકીને રમતી જોઈ. માલધારીઓ બાળકી પાસે જઈ માથે હાથ મૂક્યો. ત્યાંતો વર્ષોથી પાણી માટે વલખા મારતી ધરતી પર મેધરાજા પ્રસન્ન થયા. આ પછી માલધારીઓ આ બાળકીને પોતાની સાથે લઈ ગયા અને તેને ઉછેરવા લાગ્યા. આ દરમિયાન માતા રાંદલે અનેક પરચા આપ્યા હતા.

દળવાની બાજુમાં વાંસાવડ ગામ આવેલું હતું. પહેલા આ ગામ ધૂતારપૂર તરીકે ઓળખાતું હતું જ્યાં એક મુસ્લિમ રાજાનું સાશન હતું. રાજાના સૈનિકો માલધારીઓ પાસે દૂધ-દહી લેવા માટે આવતા હતા. તે વખતે માતા રાંદલની ઉંમર 16 વર્ષની હતી. માતા રાંદલના એ મનમોહક રૂપના સૈનિકોએ રાજા આગળ વખાણ કર્યા. તેથી રાજાએ માતા રાંદલને મહેલમાં લઈને આવવાનો હુકમ કર્યો. સૈનિકોએ આખો માલધારીનો આખો નેસ ફરી વળ્યા પણ તેઓને ક્યાય 16 વર્ષની કન્યા નજરે ન પ

કારણ કે માતા ફરી બાળકીના રૂપમાં આવી ગયા હતા. સૈનિકોએ એવું માની લીધું કે માલધારીઓએ આ કન્યાને ક્યાંક છૂપાવી દીધી છે. આધી રાજાએ દળવા  ઉપર આક્રમણ કર્યું. આથી માતા રાંધલ ક્રોધાયમાન થયા. માતાએ તેની પાસે રહેલી વાછડી પર હાથ મૂક્યો તે સિંહના રૂપમાં આવી ગઈ. આ સિંહ રાજાના સૈનિકો પર તૂટી પડ્યો. રાજાનો પરાજય થયો. ત્યારથી માતા અહીં સ્થાયી થયા. અહીં માતા હાજરા હજુર મનાય છે. જ્યારે માલધારીઓને માતાના અસલી સ્વરૂપની જાણ થઈ ત્યારે માતાએ તેઓને આ સ્થાન ક્યારેય નહીં છોડવાનું વચન આપ્યું હતું.તે સમયથી લઈને આજ સુધી માં રાંદલ અહીંયા બિરાજમાન છે અને તેઓ નિસંતાન દંપતીઓનું વાજીયામેણું દૂર કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!