એકસાથે ચાર મિત્રોની સ્મશાન યાત્રા નિકળી ! આખુ ગામ હિબકે ચડયું ચારેયના મોત નુ કારણ…
કહેવાય છે ને કે, જગતમાં ક્યારે શું બની જાય ખબર નથી પડતી.હાલમાં જ એક ખૂબ જ દુઃખ ઘટના બની, આ ઘટના જાણીને તમારી આંખમાં પણ આંસુઓ આવી જશે. વાત જાણે એમ છે કે, હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું કે,ખેડા જિલ્લામાં ધુળેટી પર્વની ઉજવણી કરવમાં આવી હતી. શુક્રવારે મહીસાગર નદીના વણાંકબોરીના ડેમ પાસે કઠલાલના હિંમતપુરા ગામના ચાર યુવકો સ્નાન કરવા માટે ગયા હતા ત્યારે ઉંડા ખાડામાં ચારેય મિત્રો ગરકાવ થઈ જતા ડૂબી જતા મોતને ભેટ્યા હતા.
આખરે ચારેયના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામ આવ્યાં હતાં અને આ બાદ જરૂરી કાર્યવાહી કરાયા બાદ આજે ચારેય યુવાનોની એક જ ગામમાંથી અર્થી ઉઠતા સમગ્ર કઠલાલના હિંમતપુરા ગામમાં ભારે શોક છવાઈ ગયો હતો. આજે સવારે કઠલાલ ગામે એકીસાથે ચારેય યુવકોના સમસ્મશાન યાત્રા નીકળતા ગામમાં શોક છવાઈ ગયો હતો.
ઉંડા ખાડામાં ગરકાવ થઈ જતા ડૂબી ગયા હતા. તેઓના મૃતદેહ સ્થાનિક તરવૈયાઓની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા.તમામના મૃતદેહને બહાર કાઢી જરૂરી કાર્યવાહી હાથ ધરી તેઓના પરિવારજનોને ડેડ બોડી સોંપવામાં આવી હતી. આજે સવારે કઠલાલના હિંમતપુરામાં ચારેય મિત્રોની અર્થી એકી સાથે ઉઠતા સમગ્ર પંથકમાં ગમગીની છવાઇ ગઇ હતી. અંતિમયાત્રામાં લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.
