સગા ભાઈ અને ફુલ જેવી બત્રીજી ને મોત ને ઘાટ ઉતારનાર કિન્નરી પટેલને કોર્ટે દોષી ઠેરવી ! જાણો પુરી ઘટના…
આજના સમયમાં ન્યૂઝપેપર વાંચો કે પછી ન્યૂઝ જોવો દરેક જગ્યાએ તમને હત્યાઓના બનાવ વિશે તો જાણવા મળશે. ખરેખર સમય એટલો ખરાબ થઈ ગયો છે કે, દિવસે ને દિવસે લોકો એટલા નિર્દય અને ક્રુર બની રહ્યા છે કે, માત્ર પોતાના સ્વાર્થ ખાતર પોતાનું જીવન બરબાદ કરે છે પણ સાથો સાથ બીજાના જીવન બરબાદ કરે છે. ચાલો અમે આજે આપને એક એવી ઘટના વિશે જણાવીએ કે, સગા ભાઈ અને ફુલ જેવી બત્રીજી ને મોત ને ઘાટ ઉતારનાર કિન્નરી પટેલને કોર્ટે દોષી ઠેરવી ! જાણો પુરી ઘટના વિશે.
દિવ્યભાસ્કનાં અહેવાલો મુજબ જાણવા મળ્યું છે કે, આ ઘટના વર્ષ 2019માં પાટણ જિલ્લામાં બની હતી. આ બનાવમાં ડેન્ટીસ્ટ બહેને પોતાના જ સગાભાઈ અને માસૂમ ભત્રીજીની હત્યા કરી નાખી હતી. બહેન માત્ર એક નજીવા કારણે એટલે કે,પરિવારમાં માનમોભો ન જળવાતો હોય આરોપી બહેને તેના સગભાઈને ધતુરાનું પાણી આપી માનસિક અસ્થિર કર્યો હતો.
આ સિવાય તેની હદ તો તને ત્યારે વટાવી જ્યારે તેને કેપ્સૂલમાં સાઈનાઈડ આપી ઠંડા કલેજે હત્યા નિપજાવી હતી. ભાઈની હત્યા કર્યાના પંદર દિવસ બાદ 14 માસની માસૂમ ભત્રીજીને પણ સાઈનાઈડ આપી હત્યા નિપજાવી હતી. પાટણ એડીશ્નલ સેશન્સ કોર્ટ દ્વારા બેવડી હત્યા મામલે આરોપીને દોષિત ઠેરવી છે. આ મામલે 4 એપ્રિલે કોર્ટ સજા સંભળાવશે.
સાઈનાઈડ અમદાવાદ માણેકચોકમાં આભુષણોને ગીલેટ કરવાનો વ્યવસાય કરતા એક શખ્સ પાસેથી લાવી હતી. તેણે સૌથી પહેલા પોટેશીયમ સાઇનાઇડનો મકોડા પર પ્રયોગ કર્યો હતો અને તે મકોડો મરી ગયો હતો ત્યારબાદ તેણે સગા ભાઇ જીગર ને તે પદાર્થ આપી હત્યા કરી હતી. ઇન્ટરનેટ પર સર્ચ કરી પોટેશિયમ સાઇનાઇડ અંગે જાણકારી મેળવી અને સોના ચાંદીના દાગીના પર ગીલેટ કરવાનો માણેકચોકમાં વ્યવસાય કરનાર પાસેથી પોટેશિયમ સાઈનાઈડ( પોટાશ કેમિકલ) મેળવ્યું હતું.
ખરેખર આ ઘટના ખૂબ જ કરુણ દાયક અને શરમજનક છે. ભાઈ બહેનનો પવિત્ર સંબંધ ને એને પળ ભરમાં ભૂલીને સપનામાં ન વિચારી શકાય એવી રીતે હત્યા કરી. એડીશ્નલ સેશન્સ કોર્ટે દોષિત ઠેરવી છે. આરોપી જીવે ત્યાં સુધીની આજીવન કેદની સજા આપવા સરકાર પક્ષે રજૂઆત કરવામાં આવી છે. કોર્ટ 4 એપ્રિલે સજા આપશે.