કુતરુ કરડે તો હલકા મા ના લેતા ! આ યુવાન ને કુતરુ કરડતા મોત નિપજ્યું…
આપણી બેદરકારીનાં લીધે ક્યારેક જીવ ગુમાવવાનો વારો આવે છે. ક્યારેય પણ સામાન્ય ઇજાઓ કે બીમારીના લક્ષણો અને કોઈ જીવ જંતુ કે પ્રાણીઓ કરડે તો તેને નજર અંદાજ ન કરો કારણ કે, તેના લીધે શરીરને ગંભીર અસર કરી શકે છે. હાલમાં જ એક એવી દુઃખ ઘટના બની જેના લીધે સૌ કોઈ ચોકી ગયા છે. આ ઘટના લાલબત્તી સમાન છે. આ વાતનું ધ્યાન રાખશો તો જીવન ગુમાવવાનો વારો નહિ આવે.
આપણે જાણીએ છે કે, શહેરો અને ગલીઓમાં કૂતરા કરડવાની ઘટના અનેક વખત બનતી હોય છે. હાલમાં જ શહેરના તરસાલી વિસ્તારમાં પણ 18 વર્ષીય યુવકએ બેદરકારીના પગલે જીવ ગુમાવ્યો. વાત જાણે એમ છે કે, તરસાલીના હરિનગર વડદલા ગામે રહેતા કૃણાલ જાદવે કૂતરું કરડ્યું હોવા છતાં સારવાર લીધી ન હતી. જેના કારણે ત્રણ મહિના બાદ હડકવાના કારણે તેનું મોત નિપજ્યું છે.
એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે, કૂતરું કરડે એટલે તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં જઈને તેની યોગ્ય સારવાર કરીને ઇન્જેકશન નિયમિતપણે લઈ લેવા જરૂરી છે. આવું ન કરવાથી હડકવા જેવી બીમારી થઈ શકે છે જેની કોઈ દવા પણ નથી. આ ઘટના વિશે વિસ્તુત જાણીએ તો વડોદરાના તરસાલી વિસ્તારના હરિનગર વડદલા ગામે કૃણાલ વિજયભાઈ જાદવ (ઉં.વ.18) છોટાઉદેપુર ખાતે આવેલી કોલેજમાં મિકેનિકલ ડિપ્લોમામાં અભ્યાસ કરતો હતો.
ત્રણ મહિના પહેલા કૃણાલને રસ્તે રખડતા કૂતરાએ બચકું ભર્યું હતું. જેમાં તેના પગ પર કૂતરાનો એક દાંત વાગતા તે ઈજાગ્રસ્ત થયો હતો. કૃણાલે એન્ટિ રેબિસ્ટના ઈન્જેક્ટશનો લેવાના ડરે તે સમયે કૂતરું કરડવાની સારવાર કરાવી ન હતી. પરંતુ તેને નહોતી ખબર કે તેની આ બેદરકારી તેનો જીવ લઈ લેશે.જેનું પરિણામ આવ્યું કે તેના શરીરમાં ધીરે ધીરે આ હડકાવાની અસર પ્રસરવા લાગી. ત્રણ મહિના બાદ તેને પેટમાં અસહ્ય દુઃખાવે, પેશાબ બંધ થવો, ખોરાક લેવા માટેની અન્નનળી સંકોચાઈ જવી વગેરે જેવા હડકવાની અસરના લક્ષણો દેખાવા લાગ્યા.
જેના કારણે તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાયો હતો. પરંતુ હોસ્પિટલમાં તેનું મોત નીપજ્યું હતું. પરિવારે એકનો એક દિકરો અને બે બહેનોએ પોતાનો ભાઈ ગુમાવ્યો છે. જેને પગલે સમગ્ર પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.કૂતરાના કરડ્યા બાદ સારવાર લેવામાં ન આવે તો 20 વર્ષ બાદ પણ તે વ્યક્તિને હડકવાની અસર થઈ શકે છે.