નાની એવી વાતને લઈ ને ધોરણ 10 મા અભ્યાસ કરતી આત્મહત્યા કરી લીધી ! પરીવાર હજી શુધી શોક મા….
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલના સમયમાં લોકો દ્વારા ભણતર ને ઘણું મહત્વ આપવામાં આવ્યું છે ભણતર વિનાના લોકોને સમાજ અનેક રીતે હેરાન કરે છે. વ્યક્તિ પાસે ભલે ઘણીજ આવડત અને જ્ઞાન હોઈ પરંતુ તેની પાસે કાગળની ડીગ્રી ના હોઈ તો તેનું કોઈ મહત્વ રહેતું નથી તેની સામે નાસમજ ડીગ્રી ધારી વ્યક્તિને સમાજ માથે ચડાવી રાખે છે. આવા કાગળની ડીગ્રીના સમયમાં હવે દરેક માટે ભણવું અનિવાર્ય થઇ ગયું છે. પરંતુ ઘણી વખત આવા ભણતર નો ભાર વિધાર્થી પર એટલી હદે વધી જાય છે કે વિધાર્થી આ ભારને સહન કરી શકતો નથી.
આ ઉપરાંત સમાજ અને પરિવાર બાળક પર્ત્યે વધુ પડતી આસા રાખે છે પાસ થવા પર તો ઘણા ખુશ થાય છે પરંતુ વિધાર્થીના નાપાસ થવા પર પ્રેમથી શિખામણ આપવાને બદલે તેની સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવે છે. તેવામાં હાલમાં લોકોને એમજ લાગે છે કે વર્તમાન જીવન ભણતર પર શરુ થઈને ભણતર પર જ પૂરું થાય છે કે જે એકદમ ખોટી વાત છે વ્યક્તિ પોતાની આવડત ના કારણે પણ આગળ નીકળી શકે છે.
પરંતુ હાલમાં એક એવો બનાવ સામે આવ્યો છે કે જ્યાં ભાર વિનાના ભણતરે દિકરી પર ભણતર નો એટલો બોજો મુક્યો કે બાળકી આ વજન સહન ના કરી શકી અને તેને આત્મ હત્યા જેવું ગંભીર પગલું ઉઠાવવું પડ્યું. આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં રાજ્યમાં બોર્ડ ને લઈને પરિક્ષઓ શરુ છે તેવામાં આ સમયે અમુક વિધાર્થીઓના પેપર સારા જાય છે તો અમુક ના થોડા ઓછા સારા આ સમયે વિધાર્થી પોતાના થોડા નબળા પ્રદર્શન થી હતાસ થઇ જાય છે.
આવોજ એક બનાવ રાજકોટના આનંદ નગર કાળા પથ્થર કવાર્ટરથી સામે આવ્યો છે કે જ્યાં એક વિધાર્થીની ના બે પેપર સારા ના જતા તે એટલી હદે હતાસ થઇ કે તેને આત્મ હત્યા કરી લીધી આ માટે તે પોતાના બાથરૂમ માં જઈને પોતાના પર પેટ્રોલ છાંટીને અગ્નિ સ્નાન કર્યું જો કે માતા પિતાએ તાત્કાલી દિકરી ને હોસ્પિટલ લઇ ગયા કે જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી આ ઘટના ને કારણે પરિવાર માં શોક નો માહોલ છે.
જો વાત મૃતક વિધાર્થીની અંગે કરીએ તો તેનું નામ ખુશી કિશોર ગીરી ગૌસ્વામી છે કે જે ૧૫ વર્ષની હતી અને તેના ૧૦ માં બોર્ડ ના પેપર ચાલતા હતા. પરંતુ પેપર સારા ના જતા ખુસીએ અગ્નિ સ્નાન કર્યું ઘટના અંગે માહિતી મળતા પોલીસ ટીમ હોસ્પિટલ પહોચી અને પોસ્ટમોર્ટમ સાથે ની કામગીરી કરી મૃત દેહ પરિવાર ને સોપ્યો.