Gujarat

ટ્રેન ના ટુટેલા પાટા જોઈ મહીલા એ પોતાની સાડી ઉતારી ને ટ્રેન ને રોકી દીધી…

અનેક વખત એવુ બન્યુ છે કે નાનીએવી સમજણ ના લીધે મોટી દુર્ઘટના ટળી હોય ત્યારે ફરી એવી એક ઘટના સામે આવી છે જેમા એક મજુરી કરતી મહિલાને લીધો મોટી દુર્ઘટના થતી અટકી છે. આ ઘટના મા એટા થઈ આગ્રા જઈ રહેલી ટ્રેન ના પાટા સસ્તા મા ટુટેલા જોઈ એક મહિલા એ પોતાની સાડી નો ઉપયોગ કરી ને ટ્રેન ને અગાવ જ રોકી લીધી હતી. આવો જાણીએ આ ઘટના વિશે.

ઘટના અંગે જાણવા મળતી વિગતો અનુસાર સવારે 8 વાગ્યા ના અરસા મા એટા થી આગ્રા જઈ રહેલી ટ્રેન નગલા ગુલેરિયા ગામ પર પહોંચી હતી ત્યારે જ તે જગ્યા એ ઓમવતી નામની મહિલા પોતાના કામ માટે ખેતરે જઈ રહી હતી અને તેણે જોયુ કે ટ્રેન નો પાટો ટુટેલો છે. ત્યારે મહીલા ને સમજ આવી ગઈ કે જો ટ્રેન નીકળશે તો દુર્ઘટનાગ્રસ્ત થશે આ માટે મહિલા એ પોતાની સમજણ થઈ પોતે પહેરેલી લાલ સાડી ટ્રેન રોકવા માટે પાટા પર જ લગાવી દીધી હતી.

અને ટ્રેન ચાલક ને ખતરા નો ઈશારો આપી દીધો હતો જ્યારે ટ્રેન નજીક આવી ત્યારે પાઈલોટ આ ખતરો સમજી ગયો હતો અને આ આગાવ જ ટ્રેન ની રોકી દીધી હતી. બાદ મા ખબર પડી હતી કે ટ્રેન નો પાટો આગળ ટુટેલો છે ત્યાર પછી રેલવે અધિકારીઓને સૂચના આપવામાં આવી. ત્યાર બાદ કર્મચારીઓને મોકલીને પાટાને બદલવામાં આવ્યા. જ્યારે આ ઘટના મા જાણવા મળ્યુ હતુ કે આ ટ્રેન મા કુલ 150 લોકો સવાર હતા જયારે આ મહીલા ને બહાદુરી અને સમજણ શક્તિ  થી મોટી દુર્ઘટના ટળી હતી.

ટુટેલા પાટા પર સૂચના રેલ્વે કર્મચારી ને મળતા પાટા નુ તાત્કાલીક રીપેરીંગ કામ કરાયુ હતી જ્યારે આ મહીલા ના વખાણ રેલ્વે કર્મચારીઓ અને લોકો એ કર્યા હતા સાથે સાથે આ મહીલા ને કેટલુ ઈનામ મળ્યુ એ માહીતી નથી પણ આ મહીલા ચોક્કસ ઈનામ અને સન્મનપી ની હકદાર કહી શકાય. આ અંગે આરઓ અમિત સિંહે જણાવ્યું કે ગુલરિયા ગામની નજીક રેલ લાઇન પર કામ ચાલી રહ્યું હતું, અહીં ટ્રેન 20 કિમી પ્રતિ કલાકની સ્પીડથી વધારે ઝડપથી પસાર થઇ શકે નહીં. ત્યાં મોજૂદ કીમેને રેલવે અધિકારીઓને સૂચના આપી દીધી હતી. પાટાનું સમારકામ થયા પછી જ ટ્રેનને ત્યાંથી રવાના કરવામાં આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!