Gujarat

ભાવનગર મા ગુસ્સે ભરાયેલી પત્નીએ ને પતિ ને ખાટલે બાંધી જીવતો સળગાવી દીધો ! આવુ કરવા પાછળ નુ કારણ…

મિત્રો રાજ્યમાં એક પછી એક જે રીતે હત્યાના બનાવો વધી રહ્યા છે તેના કારણે લોકોમાં ડરનો માહોલ છે. આર્થિક કે પ્રેમ પ્રસંગ ઉપરાંત પારિવારિક ઝઘડા અનેક બાબતો ને લઈને હત્યા ના આવા ખૂની ખેલ ખેલાય છે આવા બનાવ ના કારણે અનેક લોકોને પોતાના જીવ ગુમાવવા પડે છે ત્યારે ફરી એક વખત હત્યા નો એક કરુણ બનાવ સામે આવ્યો છે કે જેને જાણી તમે પણ ચોકી જાસો આમતો પતિ પત્ની નો સંબંધ સાત જન્મો નો હોઈ છે પરંતુ અહી એક પત્નીએ જ પોતાના પતિ નું જીવન ટુકાવી દેતા સમગ્ર પંથક માં ચકચાર મચી ગયો હતો.

હત્યા નો આ બનાવ એક દંપતી નો છે કે જ્યાં એક મહિલાએ પોતાના પતિને જીવતો સળગાવી દીધો હતો તો ચાલો આ ઘટના અંગે વધુ માહિતી મેળવીએ. મળતી માહિતી અનુસાર આ ઘટના તળાજા માં આવેલા સરતાનપર ગામની છે અહી એક ૪૫ વર્ષીય આધેડ સવજી ભાઈ જીવા ભાઈ બારૈયા રહેતા હતા તેમની પત્ની નું નામ મધી બેન છે, કે જેમણે હત્યા કરી છે.

જણાવી દઈએ કે જયારે સવજી ભાઈ ઘરના ફળિયા માં ખટલા પર સુતા હતા ત્યારે મધી બહેન ત્યાં ગયા પતિ ને દોરડા વડે ખટલા સાથે બાંધ્યો અને તે બાદ જ્વલંત શીલ પદાર્થ છાંટી ને પતિને જીવતા આગના હવાલે કરી દીધો આગથી બચવા સવજી ભાઈએ ઘણી મહેનત કરી પરંતુ બંધાયેલા હોવાથી કઈ કરી શક્યા નહી અને મૃત્યુ પામ્યા જે બાદ મધી બહેન ઘટના સ્થળે થી ભગવાને બદલે ઘરે જ રહ્યા.

ઘટના અંગે જાણ થતા પોલીસ અને આસ પાસ ના લોકો ઘટના સાથળે દોડીં આવ્યા કે જે બાદ આરોપી મહિલા ને પકડી લેવામાં આવી હત્યા ના કારણ અંગે પૂછતા જાણવા મળ્યું કે સવજી ભાઈને દારૂ પીવાની આદત હતી જેના કારણે તેઓ મધી બહેનને મારતો અને તેની સાથે લડતો પણ હતો ઉપરાંત છેલ્લા થોડા સમયથી પણ તેમની વચ્ચે ઘર કંકાસ ચાલી રહ્યો હતો સાથો સાથ એ પણ જણવ્યા મળ્યું કે હત્યા દિવસે પણ સવજી ભાઈ દારૂના નસામા ધુત હતા.

પતિના આવા કૃત્યોતથી કંટાળી ને પત્નીએ આ પગલું ભર્યું જણાવી દઈએ કે સવજી ભાઈ ખેત મજુર હતા તેમણે એક પુત્રી છે કેજે સાસરે છે. જો કે આ ગામમાં દારૂ નો વ્યાપ ઘણો વધી ગયો છે અનેક જગ્યાએ દેશી દારૂ ની ભઠ્ઠી છે જેના કારણે યુવાનો નું જીવન પણ બગડી રહ્યું છે. આ બાબત ખરેખર ચિંતા નો વિસય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!