પ્રેમથી મોટું કોઈ નહિ! પાલતું ડોગીના મૃત્યુ બાદ માલિકે જે કર્યું કોઈએ વિચાર્યું પણ નહિ હોઈ આવી ઘટના સમાજ માટે….
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આ પૃથ્વી પર માણસ ની સાથે અનેક જીવો પણ રહે છે આ જીવો અને પ્રાણીઓ પૈકી અમુક ઘણા જ ખૂંખાર તો અમુક પાલતું હોઈ છે આપણે સૌ જાણીએ છીએ કે માણસો અને પ્રાણીઓ નો સંબંધ ઘણો જુનો છે. લોકો અલગ અલગ જાનવર ને રાખવા પસંદ કરે છે આવુજ એક પ્રાણી કુતરું પણ છે. આપણે સૌ જાણીએ છીએ કે પ્રાણીઓ ભલે મનુષ્ય ની ભાષા ના સમજી શકે પરંતુ તેઓ માણસો નો પ્રેમ જરૂર સમજી શકે છે. તેમાં પણ કુતરા ને માણસ નો સાચો અને વફાદાર મિત્ર માનવામાં આવે છે.
આખી પૃથ્વી પર કુતરું એક જ એવું પ્રાણી છે કેજે પોતાના કરતા પણ પોતાના માલિક ને વધુ પ્રેમ કરે છે. તેવામાં આપણે અહી કુતરા અને માલિક ના પ્રેમનો એક અનોખો બનાવ વિશે માહિતી મેળવવાની છે. આ ઘટના ભાર્ગવ વિસ્તારની છે કે જ્યાં એક વ્યક્તિએ અનોખી મિસાલ પેસ કરી છે. જણાવી દઈએ કે અહી એક અશોક ગૌર નામની વ્યક્તિ રહે છે કે જેઓ કથાકાર છે. તેઓ પાંચ વર્ષ પહેલા દિલ્હી થી ૧૫ દિવસ નું એક લેબ્રા દૈર ડોગી લાવ્યા હતા. જોત જોતા માં આ ડોગી પરિવાર ના લોકો સાથે ભળી ગયું.
અને પરિવાર નો એક ભાગ બની ગયો પરિવાર તરફથી તેનો દર વર્ષે જન્મ દિવસ પણ ઉજવવામાં આવતો હતો. અને આ ડોગી ને કેપ્ટન નામ આપવામાં આવ્યું કેપ્ટન ધીરે ધીરે લોકો ને પસંદ આવવા લાગ્યું પરંતુ અચાનક ત્રણ મહિના પહેલા કેપ્ટન બીમાર પડતા અશોક ગૌર તેને સારવાર માટે દિલ્હી લઇ ગયા અને અમેરિકાથી દવાઓ પણ મંગાવી આ કેપ્ટન ને બચાવવા માટે તેમણે અઢી લાખ રૂપિયા ખર્ચ કર્યો પરંતુ કેપ્ટન ને બચાવી સકાયું નહિ.
જો કે અશોક ભાઈ દ્વારા કેપ્ટન ને એક પરિવાર ના સદસ્ય ની જેમ જ અંતિમ ક્રિયા કરવામાં આવી તેની પાછળ વિધિ વિધાન મુજબ પૂજા અર્ચના કરવામાં આવી કીર્તન નું આયોજન કરવામાં આવ્યું અને ભોજન ની વ્યસ્થા પણ કરવામાં આવી જેમાં પરિવાર અને સોસાયટીના અનેક લોકો જોડાયા. આ ઉપરાંત વહાલા કેપ્ટન ને વિધિ પૂર્વક દફનાવવામાં આવ્યો અને અશોક ગૌરે મુંડન પણ કરાવ્યું.