Gujarat

ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલમાં નિમણુંક થયેલા SP નિર્લિપ્ત રાય અત્યાર સુધીમા અમરેલી મા આટલા પોલીસકર્મી ને સસ્પેન્ડ કરી ચૂક્યા છે ! ભલભલા ગુંડાઓ પણ…

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે દરેક દેશ માટે તેમનું પોલીસ તંત્ર ઘણું જરૂરી હોઈ છે પોલીસ આરોપીઓ ને પકડી ને ગુનેગારો ને સજા આપે છે અને સમાજ માં શાંતિ અને સલામતી ની સ્થાપના કરે છે કોઈ ગુંડા તત્વનું જોર વધે નહિ અને સમાજ સુરક્ષિત રહે એવા ઉદેશથી પોલીસ તંત્ર હમેશા કાર્યરત રહે છે. આપણે સૌ જાણીએ છીએ કે જયારે પણ દેશ માં કાયદા વ્યસ્થા કથળે કે વ્યક્તિને કોઈ મુશ્કેલી કે અસુરક્ષા ઉભી થાય અથવા તો અન્યાય સામે ન્યાય મેળવવા વ્યક્તિ પોલીસ સ્ટેસન ના જ દરવાજા ખખડાવે છે.

આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં અનેક એવા ઓફિસરો છે કે જેમણે પોતાના હોદ્દાને લઈને લોકોની ઘણી સેવા કરી છે. ખોટા કામો અને ગુનાહિત પ્રવૃતિઓ સામે કડક પગલા ભરીને સમાજ ને સુરક્ષિત કર્યો છે આપણે અહી આવાજ એક પોલીસ અધિકારી વિશે વાત કરવાની છે કે જેઓ પોતાના અદમ્ય સાહસ અને પોતાના નીડર સ્વભાવ અને કાર્યને લઈને ઘણા ચર્ચામાં રહે છે અને તેમના કારણે અનેક ગુંડાઓ કંપી ઉઠે છે.

આપણે અહી અમરેલી જિલ્લા ના SP નિર્લિપ્ત રાય વિશે વાત કરવાની છે જણાવી દઈએ કે નિર્લિપ્ત રાય છેલ્લા લગભગ ૪ વર્ષથી અમેરલી જીલ્લાના SP છે જણાવી દઈએ કે જયારે વર્ષ 2018 માં અમરેલીમાં બીટકોઈનને લઈને ઘટના બની હતી તે સમયે તત્કાલીન SP જગદીશ પટેલ ને પકડવામાં આવ્યા હતા ગુનાહમાં પોલીસ અધિકારી સામેલ હોવાથી પોલીસ તંત્ર પર અનેક સવાલ ઉઠયા હતા

જે બાદ આજ વર્ષે નિર્લિપ્ત રાય અમરેલી જિલ્લા ના નવા SP બનાવવામાં આવ્યા હતા. જ્યારેથી નિર્લિપ્ત રાયે SP તરીકેનું પદ સાંભળ્યું છે ત્યારથી જાણે જીલ્લાના ગુંડાના ખરાબ દિવસો શરુ થયા ગયા કારણ કે SP નિર્લિપ્ત રાયે આવા ગુનેગારો ને પકડી પકડી ને ઘણી આકરી સજા આપી છે. જો કે હાલમાં રાજ્યમાં વધી રહેલા દારૂ અને જુગાર ના દુષણ ને અટકાવવા માટે સરકાર દ્વારા SP નિર્લિપ્ત રાયની ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલના SP તરીકે નિમણુક કરાયા છે.

જણાવી દઈએ કે SP નિર્લિપ્ત રાય વિશે એક કિસ્સો ઘણો જાણીતો છે કે જ્યાં તેમણે જિલ્લા ના 130 જેટલા પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા હતા. જાણવી દઈએ કે જે પોલીસ અધિકારીઓ પોલીસ ની ફરજ દરમિયાન બેદરકારી કરતા હોઈ કે ગુનાહિત પ્રવુતી માં જોડાયેલા હોઈ તેમની વિરુધ આ કાર્યવાહી કરવામાં આવી હતી આ ઉપરાંત જયારે જીલ્લામાં રેતી અને અન્ય દુષણો બેફામ બન્યા ત્યારે SP નિર્લિપ્ત રાયે વિસ્તાર ના અનેક પોલીસ કર્મીની વિવિધ જગ્યાએ બદલી કરી અને નવા લોકોને તેમનું સ્થાન આપ્યું હતું. આજના સમયમાં ભલભલા રાજ નેતા પણ SP નિર્લિપ્ત રાય ને ભલામણ કરતા દરે છે આમ પ્રજા હિતમાં ઘણા ઉમદા કામ કરે છે અને ગુંડાઓ માટે ઘણા ખતરનાક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!