Gujarat

“દબંગ” મામલતદાર કે જેણે ખનીજ ચોરોને ડામવા વેશ પલ્ટો કરતાં અને સાત વર્ષ ની નોકરી મા 10 વખત બદલી…

જો હાલ ના સમયમા ભ્રષ્ટ અધિકારીઓ છૈ તો ઘણા ઇમાનદાર અધિકારીઓ પણ છે ત્યારે આજે એક એવા જ ઇમાનદાર અધીકારી વિષે વાત કરીશુ જે પોતાની ફરજ દરમ્યાન ખુબ ચર્ચા મા રહ્યા. આ અધીકારી નુ નામ ચિંતન વૈષ્ણવ છે. પોતાની ઇમાનદાર છવીના લીધે અનેક લોકો ને આખ મા કણાની જેમ ખુચતા ચિંતન વૈષ્ણવની સાત વર્ષ ની નોકરી મા 10 વખત બદલી થય અને સાથે પ્રમોશન થી પણ વંચિત રહ્યા.

ગુજરાતમા ફરજ બજાવતા મામલતદાર ચિંતન વૈષ્ણવ 2011 જાહેર આયોગ ની પરીક્ષા આપી ને મામલતદાર બન્યા હતા. મામલતદાર બનતા ની સાથે જ પ્રજાલક્ષી કર્યો માટે તેવો દમ લગાવી દીધો અને લોકો ના ઘરે ઘરે જય ને લોકો ના પ્રશ્નો નુ નીવારણ કરવાનુ ચાલુ કર્યુ. ચિંતન વૈષ્ણવ એ પોતાની એક બુક લખી છે જેનુ નામ “તેજોવધ” છે. જેમા અનેક કિસ્સાઓ જણાવવા આવ્યા છે

 

આ ઉપરાંત ચિંતન વૈષ્ણવ સોશિયલ મિડીઆ પર પણ ઘણા એક્ટીવ રહે છે અને લોક જાગૃત માટે નુ કાર્ય પણ કરે છે તાજેતર મા જ ચિંતન વૈષ્ણવ એ એક ફેસબુક પોસ્ટ કરી હતી જેમા તેવો એ વિગતે જણાવ્યુ હતુ કે તેવો ખનીજ ચોરો ને ડામવા માટે કેવી રીતે વેશ પલ્ટો કરીને પોતાના સાથી કર્મચારીઓ સાથે જઈ ને 5 જેટલા ટ્રકો પકડી પાડયો હતા અને 3 લાખ રુપિયા દંડ વસુલ કર્યો હતો.

ચિંતન વૈષ્ણવ ની 10 વખત બદલી કરાયા બાદ આખરે 2019 દાહોદ મા મામલતદાર હતા ત્યારે રાજ્ય સરકારે ગેર વ્યવહાર ના સસ્પેન્ડ કરી દીધા હતા. જયાર બાદ આ બાબત કોર્ટ મા પહોંચી હતી અને છેલ્લા ત્રણ વર્ષથી સરકાર સામેની લડત બાદ હાઇકોર્ટે

ચિંતન વૈષ્ણવની તરફેણમાં ચુકાદો આપી 3 મહિનામાં ચિંતન વૈષ્ણવને ફરજ પર લેવા સરકારને આદેશ કર્યો છે. ઉપરાંત સિનિયોરિટી પ્રમાણે તમમ હક-હિસ્સો આપી ફરજ પર લેવા સરકારને આદેશ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!