નાની બાબતને લઈને પિતાએ કરી પુત્રની હત્યા! કારણ જાણો ચોકી જાસો પુત્રવધુએ કહ્યુકે સસરાએ દારૂ પીને….
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે દરેક બાળક ના જીવનમાં તેના પિતા સુપર હીરો હોઈ છે. બાળક નાનું હોઈ કે મોટું પિતાને સતત બાળક ની ચિંતા રહે છે પિતા પોતાની તમામ ખુશીઓને એક સ્થાને કરી પોતાના બાળક ને ખુશ અને સુરક્ષિત રાખવા માટે પ્રયત્ન કરતા હોઈ છે પરંતુ ઘણી વખત સમાજમાં એવા બનાવ પણ બની જાય છે જેના કારણે પિતા પુત્ર નો સંબંધ લજ્જાઈ જાય છે. આપણે સૌ જાણીએ છીએ કે હલમાં જે રીતે એક દેશ અને રાજ્યમાં હત્યા ના બનાવોમાં વધારો થઇ રહ્યો છે તેના કારણે સમાજમાં ડર નો માહોલ; છે.
નાની બાબત ને લઈને થયેલ બોલાચાલી માં વ્યક્તિ હત્યા જેવું અમાનવીય પગલું પણ ભરી લે છે હાલમાં આવોજ એક કરુણ અને આકરો બનાવ સામે આવ્યો છે કે જ્યાં એક પિતા દ્વારા નાની બાબત ને લઈને પોતાના જ પુત્રની હત્યા કરતા ચકચાર મચી જવા પામ્યો છે. મળતી માહિતી અનુસાર આ ઘટના રાજકોટ માં આવેલા કુવાડવા રોડના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ અમરગઢ ભીચરી ગામની છે. કે જ્યાં એક બાપ નું રાક્ષસી રૂપ જોવા મળ્યું છે.
જો વાત મૃતક અંગે કરીએ તો તેનું નામ અજીત ભોજવીયા છે જયારે હત્યારા બાપનું નામ રાજુ ભોજવીયા છે જો વાત હત્યા ના કારણ અંગે કરીએ તો જણાવી દઈએ કે ગામમાં માતાજીનો તાવો હોવાથી અજીત ભોજવીયા તેના મોટા ભાઈ સાથે પ્રસાદ લેવા ગયા હતા જે બાદ પરત ફરતા સમયે અજીત ભોજવીયા ના મોટા ભાઈ તેમના ઘરે ગયા આ સમયે રાતના નવ વાગ્યા આસપાસ નો સમય હતો જે બાદ અજીત ભોજવીયા પોતાની વાડીમાં પાણી વાળવા ગયા.
આ સમયે અજીત ભોજવીયા ના પત્ની ભારતી બહેન રૂમનો દરવાજો બંધ કરી સુઈ ગયા હતા પરંતુ વાડીમાં મદદની જરૂર હોવાથી આશરે પોણાઅગિયારેક વાગ્યે અજીત ભાઈ પત્ની ભારતીને બોલાવવા આવ્યા આ સમયે દરવાજો બંધ હોવાથી અજીતે દરવાજો ખખડાવ્યો અને પત્નીને અવાજ લગાવ્યો. જોકે આ સમયે ઓસરીમાં સુતેલા અજીતના પિતા રાજુ ભાઈ જાગી ગયા અને સુ કામ દેકારો કરે છે ? તેમ પૂછ્યું.
જેને લઈને અજીતે કહ્યું કે હું તમને નહિ મારી પત્ની ને બોલવું છુ. માટે તમે વચ્ચે ના બોલો! એમ કહ્યું જે સંભાળતા ગુસ્સે થયેલ રાજુ ભોજવિયા એ ઘરમાં પડેલ છરી વડે અજીત પર હુમલો કર્યો અને ઈજાગ્રસ્ત અજીત ઢાળી પડ્યો જે બાદ રાજુ ભોજવીયા ભાગી ગયો. આ સમયે અજીતની પત્ની અને માતા વચ્ચે આવતા રાજુ ભોજવીયા તેમને પણ ઈજા પહોચાડી. અજીત ની પત્ની ભારતીના જણાવ્યા અનુસાર તે રાતે તેના સાસરા રાજુ ભોજવીયા નશામાં હતા.
જોકે ઈજાગ્રસ્ત અજીતને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો કે જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો જે બાદ મૃતક અજીતની પત્ની ભારતીએ સાસરા રાજુ ભોજવીયા વિરુધ પતિ ની હત્યા નો ગુનો નોંધાવ્યો જે બાદ ગણતરીના સમયમાં પોલીસે આરોપી રાજુ ભોજવીયા પકડી પડ્યો. પોતાના જ દાદાની હરકત ના કારણે ચાર બાળકોએ પિતાનો સાથ ગુમાવ્યો છે.