Gujarat

જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગને લઈને મોરારીબાપુએ આપ્યુ મહત્વ નુ નીવેદન! જાણો શુ કીધુ

બાબરી મસ્જિદ પછી હવે જ્ઞાનવાપી મસ્જિદ ચર્ચાનો વિષય બન્યો છે. હાલમાં જ જાણવા મળ્યું છે કે, મસ્જિદના પરિસરમાંથી શિવલિંગ મળી આવ્યું છે. આ વાતની જાણ થતાં જ સૌ કોઈ હિન્દુઓમાં ફરી એકવાર આસ્થાની જ્યોત પ્રગટી છે. આ ઘટનાને લઈને અનેક મહાનુભાવોએ પોતાનું નિવેદન આપ્યું છે, ત્યારે હાલમાં જ પરમ પૂજ્ય શ્રી મોરારી બાપુએ પણ આ ઘટનાને લઈને એવી વાત કરી છે કે, જાણીને તમે પણ ગર્વ થશે.

સોશિયલ મીડિયા પર બાપુની વાત ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ વાત વિષે જાણીને તમને પણ ગર્વ થશે. મોરારી બાપુની વાત જાણીએ એ પહેલાં આપણે આ ઘટના વિશે જાણીએ કે, આખરે બનાવ શું બન્યો હતો અને શા માટે જ્ઞાનવાપીની ઘટના ચર્ચામાં છે. મીડિયા દ્વારા જાણવા મળ્યું છે કે, ઉત્તર પ્રદેશના વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદને લઇ સોમવારે મોટો દાવો કરવામાં આવ્યો હતો. દાવા અનુસાર મસ્જિદ પરિસરમાં શિવલિંગ મળ્યું છે.

આ ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક કોર્ટે મસ્જિદના આ ભાગને સીલ કરવાનો આદેશ આપ્યો છે. આ ઘટનાને મામલે હાલમાં સુનાવણી ચાલી રહી છે. જ્ઞાનવાપી કેસમાં સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે જિલ્લા કોર્ટ આ મામલે ચુકાદો આપે. દીવાલ તોડવાની અરજી પર આવતીકાલે સુનાવણી હાથ ધરવામાં આવશે.

આ ઘટનાને લઈને હદયસ્પર્શી વાત કરી છે બાપુએ! તેઓએ કહ્યું છે કે સત્ય હંમેશા સત્ય જ રહેશે, તે બદલાશે નહીં.સમગ્ર મામલે 2 દિવસમાં સત્ય બહાર આવશે. ઈતિહાસમાં જે કંઈપણ થયું એનાથી તમામ વાકેફ છે. જે થયું છે એ ઇતિહાસ કોઈ બદલી ન શકે, સમગ્ર મામલે હું પણ અભ્યાસ કરી રહ્યો છુ.જ્યાં જ્યાં પણ આવું થયું ત્યાંથી સત્ય બહાર આવશે. સમગ્ર મામલો કોર્ટમાં છે અને સત્ય બહાર આવશે. ખરેખર સત્યને ગમે તેટલું છુપાવવો પણ એ બહાર આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!