હે મા માતાજી ! દશા વાકાણી હવે સીરિયલ મા નહી જોવા મળે , અસીત મોદી એ સ્પષ્ટ કહી દીધુ કે
દરેક ભારત વાસીઓ માત્ર ને માત્ર દયાભાભી ની જ રાહ જોઈ રહ્યા છે, ત્યારે હવે દિશા વાકાણી હવે સીરિયલ મા નહી જોવા મળે , અસીત મોદી એ સ્પષ્ટ કહી દીધૂ છે કે હવે સિરિયલના પ દિશા વાકાણી પરત ફરશે નહીં. આપણે જાણીએ છે કે, હાલમાં જ સીરિયલમાં એક તરફ તારક મહેતા પણ વિદાય લેવાનાં છે, એવામાં હવે દિશા વાકાણીનાં આવા સમાચાર સામે આવતા જ સૌ કોઈ ચાહકો દુઃખી થઈ ગયા છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ દુઃખદ વાત પાછળ એક ખુશીનાં સમાચાર પણ છે.
ચારો તરફ દયાભાભી ની રાહ જોવાય રહી છે, ત્યારે હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં અસિત મોદીએ કહ્યું હતું, ‘દયાબેનનું પાત્ર પરત ફરશે, પરંતુ તે પાત્રમાં દિશા વાકાણી જોવા મળશે નહીં. દિશાના રિપ્લેસમેન્ટ માટેના ઓડિશન ચાલુ છે અને ટૂંક સમયમાં જ નવી એક્ટ્રેસ દયાબેનનું પાત્ર ભજવતી જોવા મળશે.’ ખરેખર આ વાત થી સૌ કોઈ ચાહકોમાં ખુશીઓનો માહોલ જોવા મળ્યો છે.
હાલમાં ઘણા સમય થી દિશા વાકાણી મેટરનીટી લિવ પર હતી અને હાલમાં ફરી એકવાર તે માતા બની છે, ત્યારે હવે સિરિયલમાં પાછા આવના કોઈ એંધાણ દેખાય નથી રહ્યા અને આખરે આસિત મોદી એ આ વાતની પુષ્ટિ કરી છે. હવે દયાબેનના રોલ માટે ઓડિશન પૂરજોશમાં ચાલી રહ્યા છે. ટૂંક સમયમાં જ દયાબેનના રોલ માટે નવી એક્ટ્રેસની પસંદગી કરી લેવામાં આવશે. ટૂંક દયાબેન જોવા મળશે.
હાલમાં જ એક એપિસોડમાં દયાભાભીની એન્ટ્રીનો એક એપિસોડનો પ્રોમો સામે આવ્યો છે. દયાભાભી ચાલતાં આવે છે, તેમનો પડછાયો દેખાય છે અને પછી તેમના પગ જોવા મળે છે. પછી તરત જ સુંદર નો અવાજ આવે છે કે બહેન જરૂરથી આવશે. બીજા સીનમાં જેઠાલાલ તથા સુંદર ફોન પર વાત કરે છે. સુંદર કહે છે કે તે જાતે બહેનને લઈને મુંબઈ આવશે.
