ઘનશ્યામ પટેલ હત્યા કેસ મા મોટો ખુલાસો ! દીકરી ની છેટતી માટે નહી પણ 3 વીઘા જમીન હડપીને પ્રેમી સાથે
આપણે સૌ કોઈ જાણીએ છીએ કે, હાલમાં જ થોડા દિવસ પહેલા જ દીકરીની છેડતી કરવા ના કારણે પત્નીએ અને દીકરી એ સાથે મળીને હત્યા કરવામાં આવી હતી, ત્યારે આ ઘટના અનેક પ્રકારના ખુલાસો કરવામાં આવ્યો છે, અને હત્યાનું કારણ જાણવા મળ્યું છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે.

કોલવડામાં 23 જૂને કુખ્યાત મૃતક જશુ પટેલના ભાઈ ઘનશ્યામ પટેલની તેની પત્નીની પોલીસે હત્યારી પત્ની ઋષિતાના ફોનની કોલ ડિટેઇલ કઢાવી હતી, જેમાં 42 વર્ષીય સંજય દશરથ પટેલ સાથે વારંવાર ફોન કરતી હોવાનું સામે આવ્યું હતું. સંજય પટેલની પૂછપરછ કરવામાં આવતાં પોલીસ સમક્ષ વારંવાર નિવેદન બદલતો હતો.

આ હત્યાનું કારણ જાણીને તમને પણ આશ્ચય થશે કે, આજના સમયમાં લોકો પૈસા ખાતર પોતાના લોકોને પણ મોતને ઘાટ ઉતારી દે છે. આમ પણ પ્રેમ એ આંધળો છે અને સંપતિ નો મોહ એમાં આવે એટલે જીવન બરબાદ થઈ જાય છે. ઋષિતા એ પોતાના પ્રેમી સાથે જીવન જીવવા માટે અને સંપત્તિ મેળવવા માટે પતિ ની હત્યા કરી કારણ કે,ગાંધીનગરમાં આસપાસની જમીનોના ભાવ ખુબ જ વધુ છે,.કોલાવાડ ગામનો મહાપાલિકામા સમાવેશ થઇ ગયો છે, ત્યારે કોલવડામા પણ જમીનોના ભાવ આશરે 3 કરોડ બોલાઇ રહ્યા છે. ઘનશ્યામ પટેલના ભાગમા 3 વિઘા જમીન આવી છે.

ઘનશ્યામને પતાવી દેવામા આવે તો તમામ સંપતિ ઋુષિતાના નામે થઇ જાય. તે સમજીને 3 વિઘા જમીનને વેચીને રૂપિયા આવે તેમાંથી સંજયને ભાગ આપવાનુ નક્કી કર્યુ હતુ.આ ઘટનામાં સંજય પટેલની પત્ની સોનલ પટેલ ઋષિતાની ખાસ મિત્ર બની ગઇ હતી. સંજય કોલવડા આવવા નીકળ્યો હતો તે સમયે સોનલ પણ ઋષિતાને મળવું છે કહીને સાથે આવી હતી.સોનલને પતિ અને તેની મિત્ર ઋષિતાએ હત્યાનો પ્લાન કર્યો છે તેની બિલકુલ માહિતી ન હતી.ઘરે પહોચતાની સાથે સોનલ પણ તેમાં ભાગીદાર બની ગઇ હતી.

પોલીસની ધરપકડ પછી ઋષિતાએ પ્લાન પછી પોલીસને દીકરીની છેડતીની બાબત કહી હતી.ઋષિતાને સંજય સાથે પ્રેમ થતાં બંને સાથે રહેવા માગતા હતા. આથી ઋષિતા અને સંજયે ઘનશ્યામની હત્યા કરવાનું નક્કી કર્યું હતં, ઋુષિતાએ સંજયને પહેલેથી કોલવડાની નજીક આવીને રહેવા જણાવ્યુ અને અને હુ ફોન કરુ એટલે ઘરે આવી જજે, ઋુષિતાએ ફોન કરીને સંજયને બોલતાવા ઘનશ્યામ ઘરે આરામ કરતો હતો. તે દરમિયાન જ ઘનશ્યામને ઉંઘમાં કટરના ઘા મારી દીધા હતા.

ઋુષિતા દોઢ દરરોજ ઘેનની ગોળીઓ આપતી હતી જ્યારે ભર નિંદરમા હતો, ત્યારે જ હત્યારી પત્નિ ઋષિતાએ પ્રેમીને બોલાવીને તેની હત્યા કરી નાખી હતી.હત્યા કર્યા પછી ઘરમા જ ઘનશ્યામ તરફડીયા મારવા લાગ્યો હતો. જેથીઋુષિતા, તેની 15 વર્ષિય દિકરી, પ્રેમી સંજય પટેલ અને સંજયની પત્નિ સોનલ પટેલે સાથે મળીને ઘનશ્યામને મોત આપ્યુ હતુ.
