મેંદરડા પંથકમાં દલિત સમાજના યુવકને છરીનાં 20 ઘા ઝીકીને હત્યા કરવામાં આવી! પરિવારે ન્યાય માટે…
ખરેખર દિવસે ને દિવસે ગુજરાતમાં હત્યાના અનેક બનાવો બને છે, ત્યારે હાલમાં જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, આ ઘટનાને પગેલ દલિત સમાજમાં આક્રોશ જોવા મળ્યો છે. તમને જાણીને નવાઈ લાગશે કે, મેંદરડા પંથકના ખીજડિયા ગામે દલિત યુવાનની છરીના 20 ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી અને આ દુઃખ ઘટનાને કારણે દલિત સમાજના આગેવાનોએ ચક્કાજામ કરી આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.
આ ઘટના અંગે વીગતો જાણવા મળી છે કે, ખીજડિયા ગામે વાડી વિસ્તારમાં રહેતા જયસુખભાઈ વજુભાઈ મૂછડિયાની રાત્રીના 12 વાગ્યાના અરસામાં 20થી વધારે છરીના ઘા ઝીંકીને હત્યા કરી નાખવામાં આવી હતી. આ ઘટના અંગે જાણ થતાં જ દલિત સમાજના આગેવાનો પણ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા.
મૃતક જયસુખભાઈના પિતા વજુભાઈએ મેંદરડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હત્યા નિપજાવ્યા બાદ નાસી ગયો હોય પોલીસે પકડી પાડવાની તજવીજ હાથ ધરી છે. વધુ તપાસ પીએસઆઈ મોરી ચલાવી રહ્યાં છે. મૃતકના પરિવારને ન્યાય મળે તેમજ હત્યારાને કડક સજા મળે એવી માંગ કરી હતી. જોકે, પોલીસે સ્થળ પર પહોંચી યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી હતી. યુવાનની હત્યા શા માટે કરવામાં આવી તે અંગે કાંઈ કારણ જાણવા મળ્યું નથી.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.