Gujarat

સુરત મા આ શુ થવા બેઠુ છે ! 70 વર્ષના વૃધ્ધા પર નરાધમે બળાત્કાર ગુજારતા વૃધ્ધા નુ મો…

સુરત શહેરમાં ચોંકાવનાર કિસ્સો બન્યો છે, જે ખૂબ જ શરમજનક છે. આપણે જાણીએ છે કે સુરત શહેરમાં અનેક પ્રકારના બનાવો બનતા રહે છે, ત્યારે હાલમાં જ એક ખૂબ જ દુઃખ ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, એક નરાધમે 70 વર્ષના વૃદ્ધા પર દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ બાદ મહિલાને ઈજા પહોંચાડી હતી. જે બાદમાં વૃદ્ધાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

આ ઘટના અંગે જાણવા મળ્યું છે કે, હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી તે દરમિયાન વૃદ્ધાનું મોત થયું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસે આરોપી સામે બળાત્કાર અને રેપની કલમો અનુસાર ગુનો દાખલ કર્યો છે.આ ઘટના વિશે વિગતવાર માહિતી જાણીએ તો ગુલામ દિવાન જૂના કોસંબા મુસ્લિમ સોસાયટી ખાતે રહેતો હતઓ અને મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો.

જ્યારે પીડિત 70 વર્ષ વૃદ્ધ મહિલા ભિક્ષાવૃત્તિ કરતી હતી.
ગુલામ દિવાન રેલવે સ્ટેશન પર ગયો હતો ત્યારે તેણે ભિક્ષાવૃત્તિ કરી રહેલા 70 વર્ષની વૃદ્ધ મહિલાને એકલા જોયા હતા. વૃદ્ધ મહિલાની એકલતાનો ગેરલાભ ઉઠાવી તેને કોસંબા રેલવે સ્ટેશનથી થોડે દૂર લઈ ગયો હતો અને વૃદ્ધ મહિલા સાથે બળાત્કાર કર્યો હતો. બળાત્કાર બાદ આરોપીએ વૃદ્ધાને ગંભીર ઇજા પહોંચાડી હતી.

વૃદ્ધાને ઈજા પહોંચાડ્યા બાદ આ નરાધમ ભાગી ગયો હતો. સમગ્ર ઘટનાની જાણ એક નાગરિકે પોલીસને કરતા આવતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતોપોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં વૃદ્ધ મહિલા સાથે દુષ્કર્મ થયું હોવાનો ખુલાસો થયો હતો. તેમજ વૃદ્ધ મહિલાને ગુપ્તાંગના ભાગે ગંભીર ઇજા થવા પામી હતી. આ સમગ્ર મામલે રેલવે પોલીસે હત્યા અને દુષ્કર્મના ગુનાની કલમોનો પણ ઉમેરો કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!