માસાએ જ પોતાની ભાણીનું માથું કાંપી નાખ્યું! હત્યાનું કારણ જાણીએ હૈયું કંપી જશે અને હત્યાનું ગુન્હો કબૂલ કરીને આરોપી જેલમાં….
પોતાના લોકો જ દુશ્મન હોય એ વાત તો સત્ય છે. વ્યક્તિ પોતાની હવસ અને સ્વાર્થને પૂરો કરવા કંઈપણ વિચાર તો નથી અને ન કરવાનું કરી બેસે છે. હાલમાં જ એક એવી ઘટના બની કે એક માસા એ ભાણી સાથે એવું ક્રૂરતા આદરી કે તમારું હૈયું કંપી જશે. આ ઘટના અંગે વધુ વિગતો જાણીએ તો દાહોદ જિલ્લામાં ચકચાર મચાવી દે એવી ઘટના સામે આવી છે. જંગલમાંથી ત્રણ દિવસ પહેલા એક 20 વર્ષીય યુવતીનું ધડથી માથુ અલગ કરાયેલી લાશ મળી આવી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, ચાર જુવાનજોધ દીકરાના પિતા એવા માસાએ પ્રેમસંબંધમાં ભાણીને ઘાતકી રીતે મોતને ઘાટ ઉતારી હતી.
આ ઘટનામાં સૌથી ચોંકાવનારી વાત એ પણ છે કે હત્યાના એક દિવસ બાદ જેલમાં આરોપી માસાએ પણ ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. આ હત્યા પાછળની સંપૂર્ણ વિગતો જાણીએ.જેન્તી રાઠવા નામનો આરોપી અને ચાર બાળકોનો પિતા હતો. આ બનાવ બન્યું એવું કે, માસા અને ભાણી વચ્ચે એક વર્ષથી સંબંધ બંધાયો હતો પણ જેન્તી સાથે પ્રેમસબંધ ચાલી રહ્યો હતો ત્યારે યુવતીનો અન્ય એક યુવક સાથે પણ પ્રેમસંબંધ બંધાયો હતો.
આ વાતની જાણ થતાં જેન્તી અવારનવાર ઝઘડા કરતો હતો. 6 સપ્ટેમ્બરના રોજ જેન્તીએ યુવતીને ઇકો ગાડીમાં બેસાડીને બામરોલી ગામના કોપ વાળી જંગલમાં લઇ ગયો હતો. જેન્તીએ સાથે લાવેલા મોટા છરાથી યુવતીનું માથુ ધડથી જુદુ કરીને તેને એક તરફ હડસેલીને ફરાર થઇ ગયો હતો. આ દુઃખદ દાયી ઘટના અંગે યુવતીના પિતા એ પણ પોતાની આપવીતી જણાવી હતી કે દીકરી ઉપર જ ઘર નભતું હતું અને તેના માટે દાગીના બનાવ્યા હતા તેમજ આવતા વર્ષે તેના લગ્ન કરાવવાનાં સ્વપ્ન જોયા હતા.
પિતા એ કહ્યું હતું કે, હું અમદાવાદમાં મજૂરી કામ કરું છું. મારી દીકરી 10 ધોરણ ભણેલી હતી અને એ મામાના ત્યાં જ ખેતીકામ કરતી હતી. પછી બીજી બધી છોકરીઓ સાથે મજૂરી કામે જતી હતી. એ રીતે એ 2-3 વાર ગઈ હતી. જ્યાં તેને આરોપી જેન્તી છત્રસિંહ રાઠવા મળ્યો હતો. અમારા પરિવારની પણ તેની સાથે મુલાકાત થઈ. પછી અમને ખબર પડી કે એ અમારા સગામાં થાય છે. એ પહેલા હું એને ઓળખતો જ નહતો. જેન્તી અમારા ઘરે આકલી ખાતે પણ આવ જા કરતો હતો.’
પિતા એ કહ્યું હતું કે જેન્તી અમને એવું કહેતો કે અમે જ આના મા-બાપ છીએ. એને બીજી જગ્યાએ કામ ધંધે નહીં જવા દઈએ. એને અમારી સાથે જ કામ પર મોકલવાની. એમ કહીને એ મારી દીકરીને ખેતરમાં મગફળી વીણવા અને અન્ય મજૂરી કામે લઈ જતો.’ જ્યારે ઘટના બની ત્યારે ‘એ દિવસે યુવતી મામાના ઘરે સરસિયા હતી. ત્યારે જ એ વખતે જેન્તીનો ફોન આવ્યો હતો કે ‘2 વાગ્યે તું તારો કંદોરો લેવા આવ અને મંદિર સુધી હું તને લેવા આવું’ એમ કહીને જેન્તી એને છેતરીને લઈ ગયો હતો’ જેન્તીને જરૂર પડી ત્યારે મારી દીકરી એ એને મદદ કરવા માટે પોતાનો કંદોરો આપ્યો હતો.
‘મમ્મી મારા માસા મને લેવા આવે છે અને એની સાથે હું કંદોરો લેવા જવાની છું.’ મંગળવારે એ જેન્તીની સાથે ગઈ અને સાંજે 4 વાગ્યાની આસપાસ અમદાવાદથી હું મારા ઘરે આંકલી ગામ પહોંચ્યો. અમારે ડોડા લઈને પાવાગઢ જવાનું હતું. મને થયું કે છોકરીને ફોન કરું પછી એવું થયું કે એને ફોન કરીશ તો એવું લાગશે કે મારા પપ્પા મને વઢશે. એટલે મે ફોન ન કર્યો.’
દીકરી રાત્રે ઘરે ન આવી. સવારે દાંતણ પાણી કરી ને મારા કાકાના ઘરે ગયો. ત્યાં એમણે મને લાશનો ફોટો બતાવ્યા કે આ તમારી છોકરી છે? લાશના હાથે એક નિશાન હતું અને એના ડ્રેસ પરથી જ હું ઓળખી ગયો. આરોપીએ અક્ષર ભૂસી નાખ્યો હતો. એ અક્ષર ખરાબ થઈ ગયો હતો. પોલીસે આરોપીને પકડીને જેલમાં નાખ્યો હતો અને ગુન્હો કબૂલ કરતા એનવ કહ્યું કે તેબીજે કામ કરવા ગઈ એટલે મેં એને કાપી નાખી અને એક દિવસ બાદ તેને પણ હત્યા કરી લીધી.