સુરતનાં બસ ચાલકની ભૂલના કારણે 17 વર્ષના તરુણનું થયું દુઃખ નિધન! માતાપિતાએ મૃતદેહ સ્વીકારવા ના પાડી કારણ કે…
હાલમાં સુરત શહેરમાં એક બસ ચાલકની ભૂલના કારણે 17 વર્ષના તરુણને પોતાનો જીવ ગુમાવવો પડ્યો. આ કારણે બહેન પોતાનો એકનો એક ભાઈ અને માતા પિતાએ પોતાનો આધાર ગુમાવ્યો. આપણે જાણીએ છે કે, સુરત શહેરમાં દોડતી બસોએ અનેક વખત પોતાની ભૂલોના કારણે નિર્દોષ વ્યક્તિઓનાં ભોગ લીધા છે છતાં પણ તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં નથી આવી. આ ઘટના અંગે વિગતવાર જાણીએ કે, આખરે કઈ રીતે આ બનાવ બન્યો.
મીડિયા દ્વારા જાણવા મળ્યું છે કે, મૂળ ઉત્તરપ્રદેશના વતની અને સુરતમાં પાંડેસરાનો રહેવાસી છે. તેના પિતા લુમ્સના કારખાનામાં તનતોડ મહેનત કરી વિશનને ભણાવતા હતા. વિશન ધોરણ 12માં કોમર્સમાં અભ્યાસ કરતો હોવાથી તે પાંડેસરાના સુખીનગરમાં આવેલા ટ્યૂશન ક્લાસીસમાંથી મંગળવારે રાત્રે 8.30 કલાકે તે ઘરે પરત ફરી રહ્યો હતો, ત્યારે જ રોડ પરથી પસાર થતી બસમાં ચઢી રહ્યો હતો ત્યારે બસના ચાલકે પૂરઝડપે બસ હંકારી મુકી હતી, જેના લીધે તે નીચે પટકાયો હતો.
આ કારણે વિશનને ગંભીર ઈજા થઈ હતી. અકસ્માતના પગલે બસ ચાલક ઘટના સ્થળ છોડી ભાગી છૂટ્યો હતો. વિશનને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ હતો પરંતુ તેનું મુત્યુ થયું.નવી સિવિલના પોસ્ટમોર્ટમ વિભાગ પાસે ભેગા થયેલા પરિવારજનોએ ગુસ્સામાં કહ્યું કે, જ્યાં સુધી બસ ડ્રાઈવરની ધરપકડ નહીં થાય ત્યાં સુધી અંતિમ વિધિ માટે વિશનનો મૃતદેહ સ્વિકારવામાં નહિ આવે.
એકનો એક દીકરો ગુમાવવાથી પરિવાર શોકમગ્ન બની ગયો છે. માતા પિતા એ પોતાના દીકરા માટે અનેક સપના જોયા હતા અમે વિશન અભ્યાસમાં ખૂબ હોંશિયાર હતો. તેને ધોરણ 10માં 80 ટકા માર્ક્સ સાથે પાસ થયો હતો પરંતુ બસ ચાલકની લાપરવાહીના કારણે તેનું દુઃખ નિધન થઈ ગયું.આ ઘટના અંગે હાલમાં પરિવારમાં બસ ચાલક પ્રત્યે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.