Gujarat

ગાંધીનગર : યુવકે પોતાના બે પુત્રો સાથે નર્મદા કેનાલમાં કુદી સામુહિક આપઘાત કરી લીધો ! મરતા પહેલા વિડીઓ મા કીધું કે ” મળીશું હવે આવતા જનમમાં

જીવનમાં આવેલી મુશ્કેલીઓ કે દુઃખનો સામનો ન કરવા માટે વ્યક્તિ આત્મહત્યા કરી લે છે. હાલમાં જ ગાંધીનગરમાંયુવકે પોતાના બે પુત્રો સાથે નર્મદા કેનાલમાં કુદી સામુહિક આપઘાત કરી લીધો !આ યુવકે મરતા પહેલા વિડીઓમાં જે કહ્યું એ જાણીને તમે પણ ચોંકી જશો. ચાલો અમે આપને આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જણાવી કે આખરે આ બનાવ પાછળનો ભેદ શું છે. તપાસ દ્વારા જાણવા મળ્યું હતું કે, ગાંધીનગરના રાયપુર સાયફન પાસેની નર્મદા કેનાલમાં પરઢોલ ગામના શ્રમજીવી યુવાને લગ્નજીવનથી હારી થાકીને ચાર અને છ વર્ષનાં બાળકો સાથે મોતને વ્હાલું કર્યું.

આપણે જાણીએ છીએ કે, વ્યક્તિ જ્યારે પણ જીવ આપે છે ત્યારે આત્મહત્યા અંગેનું કારણ અવશ્ય જરૂર જણાવે છે.
શ્રમજીવી યુવાન વિનોદ ઠાકોર તેના બે પુત્ર આરવ અને રીષભ સાથે કેનાલ ઉપર બપોરના સમયે પહોંચ્યો હતો.વિનોદે ચાર વર્ષના પુત્ર આરવને કેનાલમાં ફેંકી દીધો હતો. પછીથી મોટા પુત્ર ઋષભને લઇને કેનાલમાં કુદી પડ્યો હતો. આ બનાવની જાણ થતાં ગ્રામજનો સહિતનાં પરિવારજનો કેનાલ તરફ દોડી આવ્યાં હતાં. કેનાલમાં ત્રણેયની શોધખોળ કરાવી હતી. ત્યારે ગઈકાલે બાલીસણા તરફ આવેલી કેનાલમાંથી નાના પુત્ર આરવની લાશ મળી આવી છે.

આ યુવાને પણ દિલ પર પથ્થર મૂકીને બે સંતાનો સાથે આત્મહત્યા કરતા પહેલા યુવાને કેનાલ પર ઊભા રહીને પહેલાં એક વીડિયો બનાવ્યો હતો. જે વીડિયો હાલમાં ખૂબ વાયરલ થયો છે. યુવક વીડિયોમાં જણાવી રહ્યો છે કે, મારી ત્રણેય બેન આ બધા વચ્ચે ભાઈ ફસાઈ ગયો હતો. એટલે દરેકથી કંઈ પણ થાય એવું નહોતું. આમાં બધી નસીબની વસ્તુ છે. વિધાતા તો આવી રીતે મરવાનું કાંઈ લખતા નથી. પણ દુનિયા જેને દિલ જ ન હોય, મારા છોકરાની મમ્મીને દિલ નથી અને એણે મને કીધું કે તારે જે કરવું હોય એ કર હું મજાથી જીવું છું.

એણે મને છેલ્લો જવાબ આપ્યો કે, તું મરે તોય મારે શું. પછી સાંજે ફોન કર્યો તો પાછી હસવા લાગી અને કીધું કે મારે તમને મારી નહીં નાખવાના મારે તમને રાખવાના છે. પણ જો રહેવું હોય તો રે બાકી નાટક ન કર. જે કોઈ કારણ હોય તો છૂટું થાય અથવા અહીં આવે. આ નિર્ણયમાંથી કોઈ મારો નિર્ણય ન લઈ શક્યું. એટલે મેં જાતે જ મારો નિર્ણય લઈ લીધો.યુવક વધુમાં જણાવી રહ્યો છે કે, દરેકને અલવિદા… મારી દક્ષાબહેનને તો સવારે ફોન કર્યો, પણ બહેનને તો ખબર જ નહીં હોય કે ભાઈ છેલ્લી વખત ફોન કરી રહ્યો છે. મરવાનું હોય એટલે માણસને બધું પહેલેથી સૂઝે. જોકે, ભગવાને તો દવા કે કેનાલથી મરવાનું નથી લખ્યું. ભગવાન તો હકીકતમાં કોઈને મારતો જ નથી. કેમ કે આપણો આત્મા અમર છે. કદાચ હું અને મારાં બે છોકરા મરી જાય તો અમે ત્રણેય જણા ભટકીશું. એટલે કાંઈ વાંધો નહી.

મેં મારા સાસરીવાળા બધાને સમજાવ્યા પણ કોઈ સમજવા તૈયાર નથી. મારા કૂટુંબમાંથી તો કોઈ સાથે આવે એમ નહોતા. હું બે-ત્રણ જણાં આગળ કરગર્યો પણ કોઈએ મારું સાંભળ્યું નહી ને ઊલટાનું કીધું કે જો પૈસા હોય તો છૂટું કરી લે, પણ દેવ છૂટું નહીં કરે, તો કાંઈ વાંધો નહીં કેમ કે દેવને નિમિત્ત ન બનાવાય. હું મારાં મમ્મી અને પપ્પાને છેલ્લી ઘડી સુધી યાદ કરું છું. મારી માને તો એકલો તરછોડીને જતો રહ્યો. એમને યાદ કરીને હાલ પણ મને રોવું આવે છે. પણ રોઈનો કોઈ મતલબ નહીં. મારે સવારમાં મારી મમ્મીને જોવી હતી પણ સરખી રીતે ન જોઈ શક્યો. પણ કાંઈ વાંધો નહીં. આ બે છાકરાને અહીંયા મૂકીને જાઉં તો દુનિયા ન જીવવા દે અને ટોણા મારી મારીને મારી નાખે. કેમ કે, મને એરિયાનો અનુભવ હતો. બધો જ અનુભવ હતો. આ તો બધા સમય સંજોગો છે અને કોઈને કાંઈ કહેવા જેવું પણ નથી. મળીશું હવે આવતા જનમમાં કોઈ એવા સમય સંજોગે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!