વરરાજાને વરમાળા પહેરાવતા સમયે દુલ્હન ને હાર્ટએટેક આવ્યો ! દુલ્હનની ડોલી ની જગ્યા એ અર્થિ ઉઠતા ચારેકોર અરેરાટી મચી ગઈ
હાલ ના સમય મા લગ્ન એક ખુબજ ચિંતાકાર વિષય છે એ છે હાર્ટ એટેકની સમસ્યા…હાલ ના સમય મા કોરોના કાળ બાદ હાર્ટએટેક આવાનુ પ્રમાણ લોકો મા ખુબ જ વધી ગયું છે જેણા ખાસ કરી ને યુવાનો મા હાર્ટએટેક આવા ની ઘટના ઓ વધુ બની રહી છે અને ઘણા એક્ટર પણ હાર્ટએટેક નો ભોગ બન્યા છે ત્યારે હાલ જ એક ખુબજ દુઃખદ ઘટના સામે આવી છે જેમા એક દુલ્હન નુ હાર્ટએટેક ના કારણે મોત થયું છે.
ઘટના અંગે વિગતવાર વાત કરવા મા આવે તો આ દુઃખદ ઘટના લખનઉ જીલ્લા ભદવાના ગામ મા બની હતી જ્યા શુક્રવારે રાજપાલ નામના વક્તિની નાની દીકરી ના શિવાંગી લગ્ન હતા જેમા ચારે બાજુ લગ્ન નો ઉજમ હતો અને જાનૈયાઓ ડીજે ના તાલે ઘુણી રહયા હતા અને વરરાજા વિવેક દરવાજે પહોંચી ગયા હતા ત્યારે વરમાળા ના કાર્યક્રમ માટે દુલ્હન વરરાજા નુ સ્વાગત કરવા માટે પહોંચી હતી.
જ્યારે દુલ્હન સ્વાગત કરવા માટે પહોંચી ત્યારે અચાનક જ દુલ્હન બે ભાન થઈ ને પડી ગઈ હતી. હાજર લોકો એ તાત્કાલિક ઉઠાવવા નો પ્રયાસ કર્યો અને મોઢા પર પાણી છટકાવ કર્યો હતો પરંતુ હોશ ના આવતા શિવાંગી ને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવા મા આવી હતી જ્યા ડોક્ટરે પ્રાથમિક તપાસ કરી ને તેને મૃત ઘોષીત કરી હતી.
દીકરીના મોત ના સમાચાર સાથે લગ્ન મા દુખો નો પહાડ ટુટી પડ્યો હતો અને ચારેકોર હૈયાફાટ રુદન થી વાતાવરણ ગમગીન બની ગયું હતુ. જ્યારે ગામલોકો ના જણાવ્યા અનુસાર શિવાંગી ની તબીયત છેલ્લા બે અઠવાડીયાથી ખરાબ હતી અને દબા પણ ચાલું હતી જ્યારે લગ્ન મા ડોલી ની જગ્યા એ અર્થિ ઉઠતા ચારેકોર અરેરાટી મચી ગઈ હતી.