જસદણ મા રીકી હીરાપરા નામના યુવાને આપઘાત કરી જીવન ટુકાવી લીધું ! આપઘાત કરવા નુ કારણ માત્ર એટલુ કે
હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે,જસદણ મા રીકી હીરાપરા નામના યુવાને આપઘાત કરી જીવન ટુકાવી લીધું ! આપઘાત કરવા નુ કારણ જાણીને તમે પણ ચોંકી જશો. આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, જસદણના મોતીચોકમાં રહેતા અને રાજકોટમાં ફિલ્ટર પાણીનો ધંધો કરતા આશાસ્પદ યુવાને માનસિક બીમારીથી કંટાળી જઈ આપઘાત કરી લેતા પરિવારજનોમાં અરેરાટી પ્રસરી ગઈ હતી.
મૃતક વિશે જાણીએ તો મોતીચોક વિસ્તારમાં રહેતા અને રાજકોટમાં ફિલ્ટર પાણીનો ધંધો કરતા રીકી નટવરલાલ હીરપરા નામના આશાસ્પદ યુવાને પોતાના ઘરે રૂમમાં જઈ ગત મોડી રાત્રીના એકલતાનો લાભ ઉઠાવી ઝેરી દવા પીને આપઘાત કરી લેતા પરિવારજનો સ્તબ્ધ બની ગયા હતા.યુવક પાસેથી સ્યુસાઈડ નોટ પણ મળી આવી હતી. જેમાં યુવાને માનસિક બીમારીના લીધે જીવન ટૂંકાવી લીધાનું જણાવ્યું હતું.
ઘટનાની જાણ થતા જ તાત્કાલિક જ યુવાનની લાશનો કબજો મેળવી તેની લાશને જસદણની સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ખરેખર આ બનાવ ખૂબ જ ચોંકાવનાર છે કારણ કે, આજના સમયમાં અનેક લોકો જીવનમાં નાની મોટી તકલીફોથી પીડાતા હોય છે અને જીવનની મુશ્કેલીઓનો સામનો કરવાને બદલે જીવન ટૂંકાવી લેતા હોય છે. આ યુવાને પણ એવું જ કર્યું. હાલમાં પરિવારમાં પણ શોકમય વાતાવરણ છવાઈ ગયુ છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.