Gujarat

સુરતના વોર્ડ પ્રમુખને ત્રિજા માળેથી પોટુલું નીચું ફેકવા જતા મોત મળ્યુ ! જુઓ ધૃજાવી દે તેવો cctv વિડીઓ

હાલ ના સમય મા અનેક એવી ઘટનાઓ સામે આવી રહી છે જે જોઈને આપણે વિચારતા થઈ જતા હોઈ એ છીએ અને હાલ મોત નુ જાણે નક્કી જ નથી રહ્યુ હાલતા મોત આવી જાય છે તેવિ બનાવો બની રહ્યા છે ત્યારે હાલજ સુરત શહેરમાંથી એક બનાવ સામે આવ્યો છે જેણા એક વ્યક્તિ ને ત્રીજા માળે થી પચકાતા મોત મળ્યુ હતુ.

જો ઘટના અંગે વિગતવાર વાત કરવા મા આવે તો સુરતમાં વોર્ડ નંબર 23 ઉધના બમરોલી પંચશીલ નગર ભારતીય જનતા પાર્ટીના વોર્ડ પ્રમુખ મનોજ શુક્લાનું આ ઘટના મા મોત થયું છે. જ્યારે આ ઘટના અંગે નો વિડીઓ હિલ સામે આવ્યો હતો જેમા મનોજ શુક્લા ત્રીજા માળે થી જોબ વર્ક નુ એક પોટલું નીચે ફેકયું હતુ. અને બીજુ પોટલું નીચે ફેકવા જતા પોટલા સાથે તેવો પણ નીચે પટકાયા હતા.

સામાન્ય રીતે દાદરા ચડવા અને ઉતરવા માટે મહેનત ના કરવી પડે તે માટે ઉપરથી પોટલા નીચે ફેકતા હોય છે પરંતુ એવુ કયારે વિચાર્યુ પણ નહી હોય કે તેવો નુ આ ઘટના મા મોત થશે. મનોજ શુક્લા ને આ ઘટના બાદ તાત્કાલિક સુરત ની કીરણ હોસ્પિટલ મા સારવાર માટે ખસેડવા મા આવ્યા હતા પરંતુ તેમનો જીવ બચી શક્યો ન હતો.

 

અત્રે ઉલ્લેખનીય છે કે મનોજ શુક્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા પણ હતા. તેઓ હાલ વોર્ડ નંબર 23 ઉધના- બમરોલીમાં બુથ પ્રમુખ હતા. જ્યારે ચુટણી ટાણે જ ભાજપ ના કાર્યકર્તા નુ કરુણ મોત થતા ભાજપ સંગઠન મા દુખ નુ મોજુ ફરી વળયું હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!