Gujarat

હવામાન નિષ્ણાંત અશોકભાઈ પટેલની ચોંકાવનારી આગાહી ! આ તારીખે આ વિસ્તારો મા વાવાઝોડુ ત્રાટકશે…

હાલ ના સમય મા ભારત ના અનેક રાજ્યો મા ઠંડી નો ચમકારો જોવા મળી રહ્યો છે અને એમા પણ ગુજરાત મા છેલ્લા બે દીવસ મા ઘણી તીવ્ર ઠંડી જોવા મળી રહી છે. જ્યારે બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા માવઠા ની આગાહી કરવા મા આવી છે જ્યારે હવામાન નિષ્ણાંત અશોકભાઈ પટેલે પણ ચોંકાવનારી આગાહી કરી છે.

અશોકભાઈ પટેલે મિડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીમાં ડિપ્રેશન સિસ્ટમ ચેન્નાઇથી 900 કિ.મી. દુર દક્ષિણ-પૂર્વમાં સ્થિત છે. આ સિસ્ટમ એક દિવસ પશ્ર્ચિમ-ઉતર-પશ્ચિમ તથા ત્યારબાદ ઉત્તર-પશ્ચિમ તરફ ગતિ કરશે અને ઉત્તરીય તામીલનાડુ, પોંડીચેરી તથા દક્ષિણ આંધ્રપ્રદેશ તરફ આગળ વધશે. તા.9ના રાત્રીથી માંડીને તા.10ને સવાર સુધીમાં કિનારા પર ત્રાટકવાની શકયતા છે.

તેઓએ વધુ મા જણાવ્યુ હતુ કે, વિવિધ હવામાન મોડેલો મુજબ આ સિસ્ટમ જમીન પર આવ્યા બાદ અરબી સમુદ્રમાં દાખલ થવાની શકયતા છે અને તેની અસરે દક્ષિણ ભારતમાં સાર્વત્રિક વરસાદ થવા ઉપરાંત મહારાષ્ટ્ર સુધી પણ અસર રહેશે અને તેના પ્રભાવ હેઠળ મહારાષ્ટ્રને લાગુ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હળવા માવઠા થવાની સંભાવના છે.

જ્યારે સૌરાષ્ટ્ર તાપમાન વિષે તેવો એ જણાવ્યુ હતુ કે તા.7 થી 11 દરમ્યાન તાપમાન નોર્મલ રહેશે જયારે તા.12ને સોમવારથી ન્યુનતમ તાપમાનમાં ર થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે એટલે ઠંડી ઓછી પડશે.” હવે જોવાનુ રહેશે કે આગામી દીવસો ગુજરાત નુ વાતાવરણ કેવું રહેશે અને ખેતી મા તેની અસર કેવી રહશે તે જોવાનું રહ્યુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!