Viral video

ઘર જેવા સભ્યની જેમ પાલતું ડોગ નુ મૃત્યુ થતા પરીવારે એવી રીતે વિદાઈ આપી કે સૌની આંખ મા આંસુ આવી ગયા…જુઓ વિડીઓ

આ દુનિયામાં કૂતરું એક એવું પ્રાણી છે, જે માણસનો સૌથી વફાદાર માનવામાં આવે છે. મહાભારતકાળની વાત છે, જ્યારે પાંચ પાંડવો અને દ્રોપદી હિમાલયની યાત્રાએ નીકળ્યા ત્યારે તેમની પાછળ પાછળ એક કૂતરું પણ સાથે ગયેલું અને અંતે રાજા ધર્મરાજે યમરાજને કહ્યું કે જો આ કૂતરું પણ મારી સાથે સ્વર્ગમાં આવે તો જ હું સ્વર્ગમાં આવીશ અને આખરે એવું જ બન્યું અને એ કૂતરું બીજું કોઈ નહી પણ સ્વર્ગના રાજા ઇન્દ્રદેવ હતા આજના યુગમાં પણ માનવ સાથે કુતરાનો સંબંધ અતૂટ છે, જે રીતે ઘરનો કોઈ સભ્ય હોય એ જ રીતે કુતરા સાથે માણસ વ્યવહાર અને વર્તનની સાથો સાથ લાગણી અને પ્રેમનો સંબંધ બાંધે છે.

હાલમાં જ સોશિયલ મીડીયામાં એક વીડીઓ વાયરલ થયો છે, આ વિડીયોમાં જોઈ શકાય છે કે, ઘરના પાલતું કુતરાનું નિધન થઈ જતાં તેની અંતિમ સંસ્કારની હિન્દુ રીતિ રિવાજ મુજબ કરવામાં આવી હતી. જે રીતે ઘરના સભ્યે વિદાય લીધી હોય એ જ રીતે આ પરિવારે પોતાના પાલતુ કુતરાને વિદાય આપી હતી. આ વિડીયો ફેસબુકમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીઓ જ્યારે તમે જોશો તો તમારી આંખોમાં પણ આંસુઓ આવી જશે. ખરેખર એક વાત તો સાચી કે વ્યક્તિ હોય કે કોઈપણ જીવ પરંતુ જેની સાથે લાગણીના સંબંધો બંધાય જાય છે, ત્યારે કોઈ જાતિ, જ્ઞાતિ કે ભાષા કઇ નડતું જ નથી.

આ વિડીયો જોઈને એટલું તો આપણે ચોક્કસ કહી શકાય કે, આ પરિવારે પોતાનો વ્હાલસોયો કૂતરો ગુમાવ્યાથી ખૂબ જ દુ:ખ થયું હશે. વિડીયોના શરૂઆતમાં જ આપણે જોઈ શકીએ છે કે, પરિવારના સૌ સભ્યોએ પુષ્પાંજલિ અપર્ણ કરી અને પગે લાગીને આશીર્વાદ પણ લીધા અને સૌથી ખાસ વાત એ કે બે બાળકો આ વિડીયોમાં તમે જોઈ શકો છો અને આ માસૂમબાળકોને આ કૂતરું ખૂબ જ વ્હાલું પણ હશે એ તેમના ચહેરા પરથી જ કહી શકાય છે,

આ કુતરાની વિદાય ફોરવ્હિલમાં બેસાડીને કરવામાં આવી અને ત્યારબાદ જે હિન્દુ રીતિ-રિવાજ મુજબ આ બંને બાળકોએ કુતરાને અગ્નિદાહ આપેલ. ખરેખર આ વિડીયો ખૂબ જ હદયસ્પર્શી છે અને આ વિડીયો જોઈને તમારી આંખમાંથી આસું આવી જશે, હાલમાં આ વિડીયો જોઈને સૌ કોઈ પોતાની પ્રતિક્રિયાઑ આપી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!