878 કરોડના ખર્ચે સુરતનું અત્યાધુનિક રેલવે સ્ટેશન તૈયાર થશે ! જુઓ 3D તસ્વીરો કેવું આલીશાન હશે
સુરતવાસીઓ માટે ખુશ ખબર છે. હાલમાં જ જાણવા મળ્યું છે કે, ટૂંક સમયમાં સુરત રેલ્વે સ્ટેશનના નિર્માનું કામ શરૂ થશે. હાલમાં તો સુરતનું ઉદ્યોગણ રેલવે સ્ટેશનની કામગીરી શરૂ થઈ ગઈ છે જે, ,૮૭૮ કરોડના ખર્ચે સુરતનું અધતન રેલ્વે સ્ટેશન બનાવાશે. ત્રણ તબક્કામાં કામ થશે. પહેલા તબ્બકામાં લોકોને અવગડ ના પડે તે માટેની તૈયારી સાથે કામગીરી થઇ રહી છે.
રેલ્વે સ્ટેશન બનાવવા માટે રેલ્વેની સાથે પાલિકા અને સુરત એસટીની જમીનનો પણ ઉપયોગ કરાશે.આ રેલવે સ્ટેશન બનાવે એ પહેલા સુરત એસટી, રેલ્વેની ગોદી સહિતની જગ્યાને કવર કરી ત્યાંથી કાટમાળ ખસેડવાનો આરંભ કરી દેવાયો છે .
રેલ્વે ગોદીને ઉધના શિફ્ટ કરવા સાથે અહિયાં પ્લેટફોર્મ બનાવવાની કામગીરી શરૂ થશે. સુરત રેલ્વે સ્ટેશનથી દોડતી તાપ્તીગંગા, સુરત અમરાવતી સહિતની મેમુ અને ઇન્ટરસીટી ટ્રેનોને સુરતને બદલે ઉધના રેલ્વે સ્ટેશનથી દોડાવવા રેલ્વે તંત્ર પાસે મંજુરી માંગવામાં આવી છે.
હાલ મંજુરી મળી નથી પરંતુ મંજુરી મળતા જ અધતન રેલ્વે સ્ટેશન બનાવવાની કામગીરી પુરજોશમાં શરુ કરી દેવાશે.આપણે જાણીએ છે કે, સુરત શહેર એ ભારતનું સૌથી સ્વચ્છ શહેરોમાં એક છે, ત્યારે હવે દિવસને દિવસે વધુ વિકસિત થઈ રહ્યું છે. સુરતના અધતન રેલ્વે સ્ટેશન માટે પ્રધાનમંત્રીએ ઓનલાઈન માધ્યમથી ખાતમૂહર્ત કર્યું હતું
ત્યારબાદ રેલ્વે મંત્રી દર્શનાબેન જરદોશે પણ ચુંટણી પહેલા ખાત મૂહર્ત કર્યું હતું. હવે કોન્ટ્રકટર દ્વારા કામગીરી શરુ કરી દેવામાં આવી છે. સૌ પ્રથમ રેલ્વે યાર્ડ ગોળીને ખાલી કરી દેવામાં આવી છે.ત્યાં હવે પ્લેટફોર્મ બનાવવા પતરાની વાડ ઉભી કરી દેવામાં આવી છે.
સુરત રેલ્વે સ્ટેશનથી ઉપડતી ટ્રેનોનો ઉધના શિફ્ટ કરી દેવાશે. એટલ કે સુરતને બદલે ઉધના રેલ્વે સ્ટેશનથી ટ્રેન દોડાવાશે. આ માટે પશ્ચિમ રેલ્વેએ રેલ્વે મંત્રાલય પાસે મંજુરી માંગી લીધી છે. પરંતુ હજુ સુધી મંજુરી મળી નથી. મંજુરી મળતા જ તાપ્તિ ગંગા ટ્રેનોને સુરતને બદલે ઉધના રેલ્વે સ્ટેશનથી દોડાવવાનો આરંભ કરી દેવાશે.