Gujarat

હવે વાય PMO સુધી પહોંચી ?? દેવાયત ખવડ ના વિવાદ મામલે મયુરસિંહ રાણાના પરિવારે એનો નિર્ણય લીધો કે

હાલ ગુજરાત મા ચારેકોર એક ચર્ચા નો વિષય બન્યો છે એ છે દેવાયત ખવડ નો વિવાદ જેને લઈ ને હાલ ક્ષત્રિય સમાજ ભારે રોષ મા જોવા મળી રહ્યો છે કારણ કે આ ઘટના ને 9 દિવસ થી વધુ દીવસો વિતી ગયા હોવા છતા હજી સુધી દેવાયત ખવડ પોલીસ પકડ થી દુર છે. જો કે પોલીસે આ અંગે યોગ્ય કાર્યવાહી ની વાત જણાવી છે.

જો આ ઘટના અંગે વિગતવાર વાત કરવા મા આવે તો ગત સાતમી ડિસેમ્બરના રોજ દેવાયત ખવડ અને તેના સાગરીતો તરફથી મયુરસિંહ રાણાને માર મારવામાં આવ્યો હતો. જે બાબતે રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ મથકમાં દેવાયત ખવડ સહિત ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ હત્યાને પ્રયાસ હેઠળ ગુનો પણ નોંધવામાં આવ્યો હતો.

રાજકોટ પોલીસ ધ્વારા દેવાયત ખવડ નો શોધખોળ હાથ ધરી હતી અને ઘરે તપાસ કરતા કોઈ હાજર નહોતું જ્યાર બાદ દેવાયત ખવડ ના મૂળ વતન દુધઈ ગામ મા જતા ત્યા પણ પોલીસ ને દેવાયત ખવડ ની હાજરી મળી નહતી જ્યારે દેવાયત ખવડ દ્વારા કોર્ટ મા આગોતરા જામીન માટે અરજી કરવા મા આવી હતી જેની સુનવણી આવતી કાલે થઇ શકે તેમ છે.

જ્યારે એ ઘટના પગલે ગુરૂવારના રોજ ક્ષત્રિય સમાજ દ્વારા ડીસીપી સુધીરકુમાર દેસાઈને આ બાબતે રજૂઆત પણ કરવામાં આવી હતી. ત્યારે પોલીસ દ્વારા ઘટનામાં સામેલ આરોપીઓને તાત્કાલિક અસરથી પકડી પાડવામાં ન આવતા મયુરસિંહ રાણા ના પરિવારજનો દ્વારા પીએમઓના દ્વાર ખટખટાવવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. સમગ્ર મામલાની ફરિયાદ પીએમઓમાં ઓનલાઈન કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!