Entertainment

મયૂરસિંહે PMOના ફરિયાદ કરતા દેવાયત ખવડ ગણતરીના સમયમાં આવી ગયો ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ ! મીડિયાને કહ્યું ‘સમય આવશે….

છેલ્લા દસ દિવસોથી ગુજરાત રાજ્યમાં જો કોઈ ઘટના ચર્ચાનો વિષય બની ગયો હોય તો તે છે દેવાયત ખવડની વિવાદની ઘટના. ગુજરાતના ફેમસ લોક કલાકાર દેવાયત ખવડ અને તેના એક સાથીદારે બિલ્ડર મયુરસિંહને પાઇપથી ઢોર માર માર્યો હોવાની વાત સામે આવી હતી. એવામાં લોક કલાકાર વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી લેતે દેવાયત ખવ ભૂગર્ભ જતા રહ્યા હતા અને કોર્ટને જામીન અરજી કરી હતી.પરંતુ હવે આ કેસમાં એક નવો મોડ આવ્યો છે કારણ કે છેલ્લા દસ દિવસથી પોલીસ દેવાયત ખવડની શોધમાં હતી,એવામાં પીડિત મયૂરસિંહે PMO માં ફરિયાદ કરતા દેવાયત ખવડને રેલો આવ્યો છે.

PMOમાં દેવાયત ખવડ વિરુદ્ધ ફરિયાદ નોંધાતા કલાકાર તરત જ કરાઈમ બ્રાન્ચે હાજર થઇ ચુક્યા હતા જ્યા એ ડિવિઝનના પોલીસ અધિકારીઓએ આવીને પણ દેવાયત ખવડની ધરપકડ કરી લીધી હતી.દેવાયત ખવડ સામેથી પોલીસ સમક્ષ રજૂ થઇ જતા લોકોની ભારે ભીડ એકથી થઇ ચુકી હતી જ્યા મીડિયા પર હાજર રહી હતી.મીડિયા સાથે વાતચીતમાં દેવાયત ખવડે એવું નિવેદન આપ્યું કે ‘સમય આવશે ત્યારે જવાબ આપીશ….’ પીડિત મયૂરસિંહે PMOમાં ફરિયાદમાં પોલીસ કોઈ કાર્યવાહી ન કરતી હોવાના ઉલ્લેખની સાથો સાથ 2021ની એક ઘટના વિશે પણ જણાવ્યું હતું.

પોલીસ ધરપકડ ના કરી લે તે ભયથી દેવાયત ખવડે રાજકોટની સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી પરંતુ આ જામીન સ્વીકારવામાં આવી હતી નહીં. આ બાદ પોલીસે એક દેવાયત ખવડની એક ગુનાહિત કુંડળી કરી હતી જેમાં તેણે પેહલા કરેલા 3 જેટલા ગુનાની નોંધણી કરવામાં આવી હતી.વર્ષ 2015માં દેવાયત ખવડ ચોટીલામાં મારામારીના ગુનામાં સંડોવાયેલ હતો જ્યા તેના પર IPC કલમ 325 હેઠળની કાર્યવાહી કરવામાં આવી હતી, એટલું જ નહીં વર્ષ 2017માં પણ સુરેન્દ્રનગરમાં દેવાયત ખવડ વિરુદ્ધ આર્મ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાય હતી.

ગુનાહિત પ્રવૃત્તિના આવા કાળા ચિઠ્ઠા બહાર આવતા લોકોએ લોકો સાહિત્યકારની નિંદા કરી.હુમલાની ઘટનાને દસ દિવસ થઇ ચુક્યા હતા તેમ છતાં પોલીસના હાથે આરોપીના લાગતા ક્ષત્રિય સમાજ રોષે ભરાયો હતો અને આંદોલનની ચીમકી આપી હતી. ક્ષત્રિય સમાજના આગેવાન દેવેન્દ્રસિંહે પોલીસના કાર્યની નિંદા કરતા કહ્યું હતુ કે ઘટનાને આટલા દિવસો વીતી ગયા હોવા છતાં કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી હતી નહીં.દેવાયત ખવડ વિરુદ્ધ કાયદાકીય રીતે કાર્યવાહી કરવામાં આવે તેવી રજુઆત ક્ષત્રિય સમાજે પોલીસ કમિશનર સમક્ષ કરી હતી.

આ પુરી ઘટના પરથી પડદો ઉઠાવતા પીડિત મયુરસિંહ રાણાના પિત્રાઈ ભાઈએ જણાવ્યું છે કે દેવાયત ખવડ અને મયુરસિંહ વચ્ચે ઝગડાની શરૂઆત સોશિયલ મીડિયા પર ગાળાગાળીથી થઇ હતી, જેને ધ્યાનમાં રાખી પોલીસે મયુરસિંહ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરી હતી, તેમ છતાં દેવાયત ખવડ ઠર્યો ન હતો અને મયુરસિંહ પર પાછળથી આવીને ધોકા પાઇપો વડે હુમલો કરી દીધો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની વાત મયુરસિંહના પિત્રાઈ ભાઈએ જણાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!