Gujarat

દિલ્હી મા MBA કરીતી ધાનેરા ગામની યુવતી એ બિલ્ડીંગ ના ત્રીજા માળે થી કુદી આપઘાત કરી લીધો ! આપઘાત કરવાનું કારણ જાણી આંચકો લાખશે

જીવનમાં આવેલી મુશ્કેલીઓ અને દુઃખોને દૂર કરવા વ્યક્તિ આજના સમયમાં માત્ર આત્મહત્યાને અંતિમ વિકલ્પ માને છે. મીડિયના માધ્યમથી આપણને જાણવા મળે છે કે આજના સમયમાં દરેક વ્યક્તિઓ આત્મહત્યા કરીને જીવન ટૂંકાવી દે છે. હાલમાં જ મૂળ બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાની યુવતી દિલ્હીમાં એમબીએ નો અભ્યાસ કરતી હતી અને અચાનક જ જીવન ટૂંકાવી લીધું.

આ ઘટના અંગે વધુ વિગતવાર જાણીએ તો ધાનેરામાં આવેલ શિવ રેસ્ટોરન્ટના માલિક કૈલાશ ગોપાલ બંધેલની દીકરી ટ્વિન્કલ ધાનેરાની રોયલ સ્કૂલમાં ધોરણ-12 સુધી અભ્યાસ કર્યા બાદ તેની બે બહેનપણીએ સાથે MBA કરવા માટે દિલ્હી ગઈ હતી. આ દરમિયાન એક યુવક સાથે કોઈ વાતે ઝઘડો થયા બાદ ટ્વિન્કલે આપઘાત કર્યો હતો.

 

આ ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક સારવાર માટે દિલ્હી સ્થિત સાંકતે વિસ્તારની મેક્સ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પરંતુ ડોકટર દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવી હતી.આ ઘટનામાં ચોંકાવનારી વાત સામે આવી છે કે એક યુવક મૂળ ધાનેરા અને દિલ્હીમાં MBA કરતી ટ્વિન્કલ બધેલનો ક્લાસમેટ હતો અને બંને વચ્ચે કેટલાક સમયથી ટેન્શન ચાલી રહ્યું હતું. બીજી તરફ એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, બંને વચ્ચે કોઈ વાતે ઝઘડો થયા બાદ લાગી આવતા ટ્વિન્કલે આ પગલું ભર્યું છે.

આ સમગ્ર મામલે દિલ્હી પોલીસે જણાવેલ કે, મંગળવારે સાંજે 7 વાગ્યે મહૈશેલી પોલીસ સ્ટેશનમાં કોલ આવ્યો હતો કે, યુવતીએ ફ્રીડમ ફાઈટર્સ એન્કલેવ વિસ્તારમાં આપઘાત કર્યો છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તેમજ અકસ્માતને મોતનો ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!