પઠાણ ફીલ્મ અંગે જુનાગઢ ઈન્દ્ર ભારતી બાપુનુ આકરુ વલણ ! વિડીઓ મા કીધુ કે ” ભગવો રંગ આવા અશ્લીલ…
હાલ ના સમય મા બોલીવુડ નો ખરાબ સમય પુરો થવાનુ નામ નથી લઈ રહ્યો જ્યારે થી જ સુશાંતસિહ રાજપુત નુ મોત થયું છે ત્યાર થી બોલીવુડ ને લોકો બાયકોટ કરી રહ્યા છે છેલ્લા 3 વર્ષ મા એક પણ ફીલ્મ સારી રીતે ચાલી શકી નથી ત્યારે હાલ જ વધુ એક ફીલ્મ બોક્સ ઓફિસ પર આવા ની છે ત્યારે એ ફીલ્મ નો પણ અગાવ લોકોએ વિરોધ ચાલી રહ્યો છે. આપણે જે ફીલ્મ ની વાત કરવા જઈ રહ્યા છીએ એ ફીલ્મ નુ નામ પઠાણ ફીલ્મ છે.
આગામી સમય મા પઠાણ ફીલ્મ બોક્સ ઓફિસ પર રીલીઝ થવા જઈ રહી છે. આ ફીલ્મ મિ સ્ટાર કાસ્ટ ની જો વાત કરવા મા આવે તો ફીલ્મ શાહરુખ ખાન લીડ હીરો છે જ્યારે દીપિકા હીરોઇન છે. હાલ જ આ ફીલ્મ નુ એક સોન્ગ બેશરમ રંગ રીલીઝ થયું હતુ ત્યારે બાદ વિવાદો નો મધપૂડો છેડાયો હતો. આ સોન્ગ મા દિપીકા ના કેસરી કપડા ની બીકની ને લઈ ને દેશ અને રાજ્ય મા લોકો વિરોધ કરી રહ્યા છે
તાજેતર મા જ અનેક સાધુ સંતો અને અને હિંન્દુ સમાજ ના લોકો દ્વારા આ ફીલ્મ ને બાયકોટ કરવા ના નિવેદનો સામે આવ્યા છે બે દીવસ અગાવ જ ગુજરાત ના ડાયરા કલાકાર રાજભા ગઢવીએ આ ફીલ્મ નો વિરોધ કર્યો હતો અને કહ્યુ હતુ કે “ગીતમાં ભગવા કપડાં પહેરીને અશ્લીલ ડાન્સ કરવામાં આવ્યો છે. ફિલ્મ પર સેન્સર બોર્ડે પગલાં લેવા જોઈએ. ફિલ્મ પઠાણ રિલીઝ થવી જોઈએ નહીં. અમે ફિલ્મ અને ગીતને રિલીઝ નહીં થવા દઈએ. બીજી તરફ, હિન્દુ સંગઠનો બાદ મુસ્લિમ સંગઠનો પણ મેદાને ઉતર્યા હતા. મુસ્લિમ સંગઠને પણ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માગ કરી હતી તેવો નુ માનવુ કે આ ઈસ્લામ નુ અપમાન છે.
જયારે હાલ જ જુનાગઢ ના ઈન્દ્રભારતી બાપૂએ પણ આ ફીલ્મ નો વિરોધ કર્યો હતો જેનો હાલ વિડીઓ સોસીયલ મીડીઆ પર વાયરલ થઈ રહ્યો છે વિડીયોમાં ઈન્દ્રભારતી બાપુ કહે છે કે, ” ફિલ્મની એભિનેત્રી કે જેનું નામ મને નથી આવડતું એ ભગવા રંગના કપડાં પહેરીને અશ્લીલ હરકતો કરે છે. આવી હરકતો હિન્દુ ધર્મ અને સંસ્કૃતિને નુકસાન પહોંચાડે છે. તો હું ગુજરાત સરકાર, મહારાષ્ટ્ર સરકાર, દિલ્હી સરકારને પ્રણામ કરીને વિનંતી કરું છું કે, આવી ફિલ્મો રિલીઝ ન થાય કે જેનાથી આપણી સંસ્કૃતિ, આપણા ધર્મને, આપણા બાળકોને એનાથી નુકસાન પહોંચે. ભગવો રંગ આવા અશ્લીલ ચિત્રો માટે નથી.”