રીબાડા મા ફરી વાતાવરણ ગરમાયું ! બન્ને જુથ સામ સામે આવી જતા પોલીસ નો મોટો કાફલો ખડકી દેવાયો….જાણો શું ગઘના બની
ચુંટણી મા ગોંડલ વિધાનસભા ની બેઠક ઘણી જ ચર્ચા નો વિષય બન્યો હતો રીબડા જુથ અને ગોંડલ જુથ વચ્ચે ટીકીટ ને લઈ ને વિવાદ શરુ થયેલો જે ચુંટણી પતી ગયા પછી પણ ચાલુ જ હોય તેવું લાગી રહ્યુ છે. ગોંડલ વિધાનસભા ની બેંઠક પર ગીતાબા જાડેજા નો મોટી બહુમતિ વિજય થયો હતો જ્યારે હવે બન્ને જુથ વચ્ચે રીબડા મા તકરાર થઈ હોય તેવી ઘટના સામે આવતા વાતાવરણ ખરાબ બને એ પહેલા જ મોટો પોલીસ કાફલો ખડકી દેવામા આવ્યો છે.
આ મામલે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા દ્વારા પણ એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જે પ્રેસ કોન્ફરન્સમાં જયરાજસિંહ જાડેજાની સાથે રીબડા ગામના કેટલાક પાટીદાર વ્યક્તિઓ પણ સાથે હતા. જયરાજસિંહ જાડેજાએ પ્રેસ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આઝાદી બાદ પ્રથમ વખત થયું છે. અનિરુદ્ધસિંહ જાડેજાના પેટમાં તેલ રડાયું છે કે તેના ના પાડવા છતાં રીબડા ગામમાંથી ભારતીય જનતા પાર્ટીને 212 મત મળ્યા છે. રીબડા ગામે સરદાર પટેલ ગ્રુપના કાર્યક્રમો અંતર્ગત મારે જવાનું થયું હતું. ગુરૂવારના રોજ પણ સાંજે 7:00 વાગે હું રીબડા ગામે જાહેર સભા સંબોધવાનો છું. અનિરુદ્ધસિંહ જાડેજાને તેના પરિવારની દાદાગીરીને કાયમી નાથવાનું મે નક્કી કર્યું છે.
આકાશ ખૂંટ નામની વ્યક્તિ એ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રીબડા ગામમાં ખેડૂતને ત્રાસ છે. ત્રણ મહિના પૂર્વે અનિરુદ્ધ સિંહ જાડેજાનો ફોન આવ્યો હતો કે, તારી જમીન વેચાઈ ગઈ છે. હવે તમારે તેમાં કશું કરવાનું રહેતું નથી. મારી પાંચ વીઘાની જમીન છે એક એકરનો ભાવ બજાર કિંમત મુજબ અઢી કરોડ થાય છે. પરંતુ આજ દિવસ સુધી રીબડાના એક પણ ખેડૂતને એક જ દીઠ દોઢ કરોડથી ઉપરનો ભાવ મળ્યો નથી. રીબડામાં જે કંઈ પણ સોદા થાય છે તેમાં એક ભાગ ખેડૂતને અને બે ભાગ અનિરુદ્ધસિંહને મળે છે.
આ ઘટના પગલે રીબડા ખાતે અનિરુદ્ધસિંહ જાડેજા દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જણાવવામાં આવ્યું હતું કે, માજી ધારાસભ્ય જયરાજ જાડેજા દ્વારા મારા પરિવારને બદનામ કરવાનું કાવતરું રચવામાં આવી રહ્યું છે. મેં તેમજ મારા પરિવારે એક પણ વ્યક્તિએ પાટીદાર સમાજની વ્યક્તિને માર માર્યો નથી. જો કોઈ પાસે પુરાવા હોય તો તે પુરાવા રજૂ કરી શકે છે.
તેમણે વધુમાં જણાવ્યુ કે, પાટીદાર સમાજને અમારા પ્રત્યે ભડકાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ ઝાલા રીબડા ખાતે હાજર ન હોત તો અનેક લોથ ઢળી ગઈ હોત. અમારા ઘર સુધી 50 જેટલી ગાડીઓ આવી ગઈ હતી. પોલીસ પણ દંડા લઈને ઉતરી ગઈ હતી. તેમજ પોલીસે ચારથી પાંચ જેટલા વ્યક્તિઓને પોતાની ગાડીમાં બેસાડી પણ દીધા હતા.