સુરતમાં માતા-પિતાએ રઝળતી કરી દીધેલી બે મહિના બાળકીનો સહારો બનશે મહેશભાઈ સવાણી ! સૌનું દિલ જીતી લીધું..જુઓ વિડીયો શું કહ્યું
આમ આતો માતા-પિતા આપણા ભગવાન જ હોય છે પરંતુ હાલ ઘણા બધા એવા કિસ્સોઓ સામે આવી રહ્યા છે જે આ વાતને ખોટી પાડે છે, સુરત શહેરના અડાજણ વિસ્તારમથી આવી જ એક ઘટના સામે આવી છે જેમાં એક માતા-પિતાએ પોતાના ફક્ત બે માસના બાળકને રખડતો કરી દીધો હતો.એવામાં રાહદારીઓની આ માસુમ પર ધ્યાન પડતા તરત જ તેઓએ પોલીસને જાણ કરી હતી જે બાદ પોલીસે આ મામલે તપાસ શરૂ કરીને બાળકના માતા-પિતાની શોધ ખોળ શરૂ કરી હતી. તપાસમાં પોલીસને એક સીસીટીવી ફૂટેજ મળ્યો હતો જેમાં કબેલબ્રિજ પર માતા-પિતા દેખાયા હતા.
માતા-પિતાએ રઝળતો મુકેલ આ બાળક લગભગ 25 દિવસનું હોય તેવું તબીબોનું જણાવું છે, હાલ તો આ માસુમને પ્રાથિમક સારવાર આપવામાં આવી રહી છે જ્યા તેની સ્થિતિ ખુબ સારી છે. આ ઘટના સામે આવતા દીકરીઓના પાલનહાર એવા મહેશભાઈ સવાણી આ માસુમની મદદે આવ્યા છે અને બાળકને દત્તક લેવાની વાત કરતા મહેશભાઈએ ફરી એક વખત બધા જ લોકોનું ફરીથી દિલ જીતી લીધું હતું.મહેશભાઈએ આ બાળકને લઈને ઘણી બધી વાતો કરી હતી.
મહેશભાઈએ મીડિયાને જણાવ્યું કે ‘આજે ઘણા બધા એવા દંપતી છે જેઓ સંતાન મેળવવા માટે હોસ્પિટલના વારંવાર ધક્કા ખાતા હોય છે અને મંદિરે મંદિરે જતા હોય છે, તેમ છતાં તેઓને સંતાન પ્રાપ્તિ થતી નથી. આ ખુબ જ દુઃખદ ઘટના સામે આવી છે કે,માતા-પિતાએ પોતાના બાળકને રસ્તે જ ઘા કરી દીધું છે. જો સરકાર મને અનુમતિ આપે તો આ બાળક સહીત સમગ્ર રાજ્યના જેટલા પણ આવા બાળકો છે તે તમામને હું દત્તક લેવા માટે તૈયાર છું.’ મહેશભાઈએ બાળકને લઈને ઘણી મહત્વની વાતો કહી હતી.
View this post on Instagram
મહેશભાઈએ એમ પણ જણાવ્યું હતું કે આ દંપતીની શોધ કર્યા બાદ પણ તેઓને આ બાળક સોંપી દેવામાં આવશે તો આ દંપતી માસુમનો યોગ્ય રીતે ઉછેર કરવાના નથી, આથી તેઓએ કહ્યું હતું કે માતા-પિતા મળી જાય તો પણ આ બાળક દંપતીને સોંપવું જોઈએ નહીં પણ જે લોકો સારી રીતે તેનો ઉછેર કરશે તેને આપવું જોઈએ.હાલ તો આ માસુમ સિવિલ હોસ્પિટલની સી ટીમ પાસે છે જ્યા તેનું ખુબ સારી રીતે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને આ ટિમ બાળકના સારા આરોગ્યની કાળજી લઇ રહી છે.