Gujarat

રાજકોટની ગર્ભવતી મહિલા એ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું! સ્યુસાઈડનોટમા લખ્યું કે ‘ એ મારું રાખતા નથી..’

હાલમાં જ રાજકોટ શહેરમાં એક દુઃખ દાયી ઘટના સામે આવ રાજકોટના કાલાવડ રોડ પર આવેલી મેટોડા GIDCમાં ગેઇટ-2 પાસ માં રહેતી અને 7 મહિના પૂર્વે લગ્ન કરનાર નવોઢા જયશ્રીબેન નયનભાઈ દાફડાએ ગઈકાલે રાત્રિના પતિ બહાર ગયા બાદ પોતાના રૂમમાં ‘મારા પતિને અન્ય યુવતી સાથે સંબંધ છે અને મારું કંઈ રાખતા નથી’ એવી સુસાઇડ નોટ લખી પંખાના હૂકમાં ચૂંદડી બાંધી ગળેફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો.

પોલીસકાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે, જોકે સુસાઇડ નોટ ખોટી હોવાનું અને તેમને કોઈ સાથે સંબંધ ન હોવાનું મૃતકના પતિએ જણાવ્યું હતું.આ બનાવ અંગે જાણવામાં મળ્યું હતું કે, સાસુએ રૂમમાં તપાસ કરતાં પુત્રવધૂ લટકેલી હાલતમાં જોવા મળી હતી.

ત્વરિત તેના પુત્રને જાણ કરી હતી, ઘરે આવેલા નયનભાઈએ 108ને જાણ કરી જયશ્રીબેનને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં, જ્યાં ફરજ પરના તબીબે તપાસી તેને મૃત જાહેર કર્યા હતાં. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે જાણ કરતાં લોધિકા પોલીસના હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ ખાચર દોડી આવ્યા હતા અને જરૂરી કાગળો કરી મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી અપઘાતનું કારણ જાણવા પરિવારની પૂછપરછ હાથ ધરી હતી.

મૃતક પરિણીતાના પતિ નયનભાઈએ જણાવ્યું હતું કે તે રિક્ષા ચલાવે છે અને તેના લગ્ન સાત માસ પહેલાં થયા હતા સાંજે તેઓ ઘરે આવ્યો ત્યારે તેમની પત્ની જયશ્રીએ કહ્યું હતું કે પાડોશીને રેલવેસ્ટેશન મૂકવા જવાના છે, જેથી તેઓ ભાડું કરવા ઘરેથી નીકળ્યો હતો તેમજ તેમને અન્ય કોઈ યુવતી સાથે સંબંધ નથી તેમજ ઘરમાં પણ કોઈપણ પ્રશ્ન ન હતાં છતાં પત્નીએ કેમ આ પગલું ભર્યું એ અંગે તેઓ પણ અજાણ હોય.

સુસાઇડ નોટ શંકાસ્પદ લાગી રહ્યાનું નયનભાઈએ જણાવ્યું હતું.
પરિણીતાને બે માસનો ગર્ભ હોવાનું પણ સામે આવ્યું છે. મૃતકનું માવતર જામનગર છે અને તે ત્રણ ભાઈ- બહેનમાં મોટી હતી તેમજ તે સાસરે તેના પતિ અને સાસુ-સસરા સાથે રહેતી હતી. બનાવથી પરિવારમાં શોક છવાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!