સુરત ત્રિપલ મર્ડર કેસ મા નવો વિડીઓ આવ્યો સામે ! ત્રણ હત્યા પાછળ આ કારણ જવાબદાર હતુ….જુઓ વિડીઓ
મિત્રો આમ તો તમે વ્રતપાન પત્રો અથવા તો અમુક રિપોર્ટમાં વાંચ્યું જ હશે કે સુરત શહેરમાં કારખાનામાં કામ કરી રહેલા બે મજૂરોએ કારખાના માલિક, તેમના પિતા અને મામાને મૌત આપ્યું હતું. આ ઘટના સામે આવતા શહેરમાં ભારે અરેરાટી ફેલાય ચુકી હતી જે બાદ સ્થાનિક પોલીસે ઘટનાની તપાસ કરીને બંને આરોપીની સીસીટીવી વિડીયોને આધારે ધરપકડ કરી લીધી હતી. જે બાદ 26 ડિસેમ્બરના રોજ એક સગીર તેમ જ યુવા વયના આરોપીને કોર્ટમાં પેશ કરવામાં આવ્યા હતા જેમાં કોર્ટે એક આરોપીને ત્રણ દિવસની રિમાન્ડ મંજુર કરી હતી જયારે એક જુવેનાઇલ છે.
આ પુરી હત્યાની ઘટના સીસીટીવીમાં કેદ થઇ ચુકી હતી, જેમાં બંને આરોપીઓ હત્યા કરી રહયા હોય તેવું દ્રશ્યોમાં જોવા મળ્યું હતું પણ ત્રિપલ મર્ડરની આ ઘટનામાં વધુ એક સીસીટીવી વિડીયો સામે આવતા મોટો ધડાકો થયો છે. આમ તો ઘટના અનુસાર સામે આવ્યું હતું કે કારખાના માલિકે આ બંને આરઓઈઓને કારખાના માંથી કાઢી નાખ્યા હતા. એવામાં આ વિડીયો સામે આવતા ત્રિપલ મર્ડરની આ ઘટનામાં નવો વળાંક આવ્યો છે.
નવી સીસીટીવી ફૂટેજ સામે આવી છે જેમાં જોઈ શકાય છે કે કારખાનાના માલિકો બંને આરોપીઓને ધમકાવી રહ્યા છે અને લાકડી-ડંડો લઈને માર પણ મારી રહ્યા છે, એવામાં આ વિડીયોના આધારે આપણે એંધાણ બાંધી શકીએ કે માલિક અને કારીગરો વચ્ચેની આ ઉગ્ર મારામારી હત્યાના ગુનાહિત કાર્યમાં પરિણમી હતી.હાલ ડાયમંડ સીટી સુરતમાં આ ઘટનાને પગલે શહેરમાં ભારે ફફડાટ મચી ગયો છે.
મૃતકના પરિવારજનોએ પણ રોષ વ્યક્ત કરતા બંને આરોપીઓને કડકમાં કડક સજા મળે તેવી માંગણી કરી હતી, જણાવી દઈએ કે શહેરના અમરોલિના અંજની ઇન્ડસ્ટ્રીયલ રોડ પર આવેલ વેદાંત ટેક્ષો નામના એમ્બ્રોઈડરી કારખાનામાં ત્રિપલ મર્ડરની આ ઘટના બની હતી, જેમાં આરોપીઓએ કારખાના માલિક ધનજી રણછોડ ધોળકિયા(ઉ.વ.61),તેમના પુત્ર કલ્પેશ ધનજી ધોળકિયા(ઉ.વ.35) અને મામા ઘનશ્યામ વાલાભાઇ રજોડીયા(ઉ.વ.51, કલ્પેશના મામા)ની છરીના બેરેહમીથી ઘા ઝીકી હત્યા કરી નાખવામાં આવી હતી.